જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો


SHARE









વાંકાનેરના અમરસર ગામે વૃદ્ધ પિતાને બે દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ માર માર્યો

વાંકાનેર તાલુકાના અમરસર ગામે રહેતા વૃદ્ધે પોતાની માલિકીની ખેતીની જમીનમાંથી ભાગ પાડવાની તથા ખેતીની જમીન ઉપર લોન લઈ આપવાની દીકરા અને પૌત્રને ના પાડી હતી જેથી કરીને તેને દીકરા અને પૌત્ર દ્વારા ગાળો આપવામાં આવી હતી અને લોખંડના પાઇપ, ધોકા અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ આંખમાં મરચાની ભૂકી છાંટીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે શરૂ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ અમરસર ગામે રહેતા શેરમામદભાઈ સુલેમાનભાઈ બ્લોચ જાતે મુસલમાન (૬૫)એ તેના દીકરા મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચ, નજૂરમામદ બલોચ અને પૌત્ર સલમાનભાઈ મીરમામદભાઈ બલોચ તથા પુત્રવધૂ અંજુમબેન નજુરમામદભાઈ બલોચ રહે. બધા અમરસર વાળાની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓની ખેતીની જમીનના ભાગ પાડવાની તેમજ ખેતીની જમીન ઉપર લોન લઈ દેવાની તેના દીકરા, પૌત્ર અને પુત્રવધૂએ વાત કરી હતી જેથી ફરિયાદી ના પાડી હતી જે તેના દીકરા અને પૌત્રને સારું નહીં લાગતા તેઓએ ગાળો આપી હતી અને ત્યારે મીરમામદભાઈ શેરમામદભાઈ બ્લોચએ લોખંડના પાઇપ વડે તેના પિતા શેરમામદભાઈને માથા અને શરીરે માર માર્યો હતો તેમજ નજુરમામદભાઈએ સેન્ટીંગના લાકડાના ધોકા વડે પીઠના ભાગે માર માર્યો હતો અને સલમાને ઢીકાપાટુનો માર માર્યો હતો જયારે અંજુમબેને આંખમાં મરચાની ભૂકી નાખી હતી અને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા વૃદ્ધ દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે તેના બે દીકરા, પૌત્ર અને પુત્રવધુ સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News