મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો


SHARE











માળીયા (મી)ના જૂના ઘાટીલા ગામે ઓગળી ગયેલ ગુલ્ફી આપનારને સમજાવવા ગયેલા ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ વડે મારમાર્યો

માળીયા મીયાણા તાલુકાના જૂના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં આવેલ દુકાને ગુલ્ફી લેવા ગયેલા બાળકને ઓગળી ગયેલ ગુલ્ફી આપી હતી જેથી તેના કૌટુંબિક દાદા દુકાનદારને તે બાબતે કહેવા માટે ગયા હતા જે તેને સારું નહીં લાગતા દુકાનદાર અને તેના ભાઈઓએ ફરિયાદી તેમજ તેના દાદા સહિત ત્રણ વ્યક્તિને લોખંડના પાઇપ અને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી કરીને ઈજા પામેલા લોકોને સારવારમાં લઈ ગયા હતા અને ત્યારબાદ યુવાને ત્રણ શખ્સોની સામે માળિયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણ શખ્સોની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી હોવાનું જાણવા મળેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ માળીયા મિયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે આવેલ શક્તિ પ્લોટમાં રહેતા અનિલભાઈ જાદવજીભાઈ અગેચાણીયા જાતે કોળી (૨૮) એ અરવિંદભાઈ નારણભાઈ, ઓધવજીભાઈ નારણભાઈ અને મુન્નાભાઈ નારણભાઈ રહે. બધા જૂના ઘાટીલા શક્તિ પ્લોટ માળીયા મીયાણા વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના કૌટુંબિક ભાઈનો દીકરો અરવિંદભાઈની દુકાને ગુલ્ફી લેવા માટે ગયો હતો ત્યારે અરવિંદભાઈનો દીકરો ત્યાં બેઠો હોય તેને ઓગળી ગયેલ ગુલ્ફી તેને આપી હતી જેથી ફરિયાદીના કૌટુંબિક દાદા ચંદુભાઈ ગાંડુભાઈ તે બાબતે આરોપી અરવિંદભાઈને સમજાવવા માટે ગયા હતા ત્યારે દુકાનદાર અને તેના ભાઈ ઓધવજીભાઈ તથા મુન્નાભાઈએ ફરિયાદી તથા સાહેદને ગાળો આપીને બોલાચાલી કરી હતી અને ઝઘડો કર્યો હતો ત્યારે ફરિયાદીએ ગાળો આપવાની ના કહેતા ઉશ્કેરાઈ ગયેલ અરવિંદભાઈએ તેના હાથમાં રહેલ લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાનને હાથમાં અને કેડના ભાગે માર માર્યો હતો ત્યારે છનાભાઈ વચ્ચે છોડાવવા માટે પડતા તેને ઓધવજીભાઈએ લોખંડના પાઇપ વડે જમણા પગમાં માર મારીને ઇજા કરી હતી અને મુન્નાભાઈએ ઢીકાપાટુનો મારમાર્યો હતો જેથી ભોગ બનેલા અનિલભાઈ અગેચાણિયાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપી અરવિંદભાઈ, ઓધવજીભાઈ અને મુન્નાભાઈની સામે ગુનો નોંધીને તેની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News