મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

હળવદના કડિયાણા નજીક નીલગાયનો શિકાર કરવા રાખ્યા પગારદાર !: વાડીના માલિક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ


SHARE











હળવદના કડિયાણા નજીક નીલગાયનો શિકાર કરવા રાખ્યા પગારદાર !: વાડીના માલિક સહિત ચાર શખ્સો સામે ફરિયાદ

હળવદ તાલુકાના કડિયાણા ગામની સીમમાં ગેરકાયદે નીલગાય (રોજડા)નો શિકાર કરવામાં આવતો હોવાની ફરિયાદ ગામના લોકો દ્વારા કરવામાં આવી હતી જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને ગામના લોકોએ રેડ કરી હતી ત્યારે રોજડાનો શિકાર કરીને માંસ મટન જુદુ કરતા બે શખ્સને રંગે હાથે પકડ્યા હતા ત્યાર બાદ વાડીના માલિક અને તેના દીકરાને ત્યાં બોલાવવામાં આવ્યા હતા અને હલવામાં આ ચારેય શખ્સોની સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિ. ૨૦૨૨ ની કલમ ૨(૧૬), (૧૭), (૨૦), (૨૧), (૩૧), (૩૬), (૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨ અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ૨૬ (ઘ) ડી, ૨૬ (ટ) આઈ મુજબ ફરીયાદ નોંધીને ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા આગળની કાર્યવાહી કરવામાં આવી છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકાનાં કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ પટેલ લાતી વાળાની વાડીએ શિકારી ગેંગ હોવાની માહિતી કડિયાણા ગામના લોકોને મળી હતી જેથી કરીને વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથે રાખીને કડિયાણા ગામની સીમમાં આવેલ જેઠાભાઇ પટેલની વાડીએ રેડ કરી હતી ત્યારે નીલગાયનો શિકાર કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું હતું જેથી સ્થળ ઉપરથી શિકાર કરવા માટે ઉપયોગમાં લેવામાં આવતી બારબોરનું બંદૂક, ગાડી, બે બાઇક સહિતનો મુદામાલ કબજે કરીને વાડીના માલિક સહિત ચાર શખ્સોની વન વિભાગના અધિકારી દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

નીલગાયનો શિકાર કરેલ હાલતમાં બે શખ્સ રંગે હાથે પકડાયા હતા જેથી કરીને ફોરેસ્ટ વિભાગના અધિકારી દ્વારા તમામ મુદામાલને કબજે કરીને વાડીના માલિક જેઠાભાઈ મનજીભાઇ પટેલ, તેના દીકરા પ્રવીણભાઈ જેઠાભાઈ પટેલ, મંજૂરહુસેન આમદભાઈ જામ અને ફારુક નિઝામ મોવર સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિ. ૨૦૨૨ ની કલમ ૨(૧૬), (૧૭), (૨૦), (૨૧), (૩૧), (૩૬), (૩૭), ૯, ૩૯, ૫૦, ૫૧, ૫૨ અને ભારતીય વન અધિનિયમ ૧૯૨૭ ૨૬ (ઘ) ડી, ૨૬ (ટ) આઈ મુજબ ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરવામાં આવી છે અત્રે ઉલેખનીય છે કે, વાડીના માલિકે રોજડાનો શિકાર કરવા માટે ૬૦૦૦૦ ના માસિક પગારથી બે શખ્સોને વાડીએ શિકાર કરવા રાખ્યા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે ત્યારે ફોરેસ્ટ વિભાગ સ્થળ ઉપરથી નર નિલગાયનું માસ, અવયવ અને ચામડા તેમજ એક બાર બોરનું હથિયાર, મહિન્દ્રા ગાડી, બે બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જે ચાર આરોપીને પકડવામાં આવ્યા હતા તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા આગામી તા ૨૦ સુધી ચારેય આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે.






Latest News