હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે


SHARE











મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે

મોરબીમાં ૬-લાતી પ્લોટ મુમનગરમાંમાં આગામી તા ૧૫ ને શનિવારે લીમડાવાળા મામદેવના તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મામાદેવનો વીર પુરુષ યજ્ઞ, બપોરે ૩:૧૫ કલાકે શોભાયાત્રા, સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ યોજાશે. અને જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે મોરબીના જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર અને ત્યાથી પરત મંદિરે આવીને પૂરી કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો લીમડાવાળા મામદેવ ગ્રૂપ દ્વારા આમંત્રણ અપાયું છે.

બાદનપર રામમંડળ

મોરબીના બાદનપર ગામ કાલે રવિવારે રાત્રીના સમયે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, રાતે ૯:૩૦ કલાકે બાદનપર ગામે બાલકૃષ્ણ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનકવન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે ૯૫૧૦૦૩૬૪૬૦, ૯૨૬૫૨૪૩૪61 અને ૯૩૧૬૮૧૦૩૭૦ ઇપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News