મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે


SHARE









મોરબીના મુનનગરમાં લીમડાવાળા મામદેવ મંદિરે તૃતીય પાટોત્સવ યોજાશે

મોરબીમાં ૬-લાતી પ્લોટ મુમનગરમાંમાં આગામી તા ૧૫ ને શનિવારે લીમડાવાળા મામદેવના તૃતીય પાટોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મામાદેવનો વીર પુરુષ યજ્ઞ, બપોરે ૩:૧૫ કલાકે શોભાયાત્રા, સાંજે ૭:૧૫ કલાકે મહાઆરતી અને સાંજે ૭:૪૫ કલાકે મહાપ્રસાદ યોજાશે. અને જે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તે મોરબીના જુના બસ સ્ટેન્ડ, નહેરુ ગેઇટ, ગાંધી ચોક, વિશાલ સ્ટોર અને ત્યાથી પરત મંદિરે આવીને પૂરી કરવામાં આવશે આ ધાર્મિક કાર્યક્રમનો મોરબીની ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો લીમડાવાળા મામદેવ ગ્રૂપ દ્વારા આમંત્રણ અપાયું છે.

બાદનપર રામમંડળ

મોરબીના બાદનપર ગામ કાલે રવિવારે રાત્રીના સમયે રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે જેની વધુ માહિતી આપતા આયોજકોએ જણાવ્યુ છે કે, રાતે ૯:૩૦ કલાકે બાદનપર ગામે બાલકૃષ્ણ રામામંડળ દ્વારા રામદેવપીરનું જીવનકવન રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમનો ધર્મપ્રેમી જનતાને લાભ લેવા માટે આયોજકો દ્વારા નિમંત્રણ આપવામાં આવ્યું છે અને વધુ માહિતી માટે ૯૫૧૦૦૩૬૪૬૦, ૯૨૬૫૨૪૩૪61 અને ૯૩૧૬૮૧૦૩૭૦ ઇપર સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News