હળવદના ટીકર ગામે યુવાન ઉપર છરી વડે જીવલેણ હુમલો, ગંભીર ઈજા પામેલ યુવાન અમદાવાદ સારવાર માટે ખસેડાયો માળીયા (મી)ની ઓનેસ્ટ ચેકપોસ્ટ પાસેથી ચોરખાનામાં 96 બોટલ દારૂ ભરેલ સેન્ટ્રો કાર સાથે એક ઝડપાયો, 2.16 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના ભલગામ નજીક હોટલ પાસેથી શંકાસ્પદ હાલતમાં 29,000 લીટર જ્વલંતશીલ પ્રવાહીનો જથ્થો ઝડપાયો, 48.33 લાખના મુદ્દામાલ સાથે પાંચ શખ્સ પકડાયા સરકાર દરમ્યાનગીરી કરીને મોરબીમાં એક જ ભાવે નેચરલ ગેસ આપે તો જ બંધ પડેલા સિરામિકના કારખાના ધમધમશે: પ્રમુખ મનોજભાઇ એરવાડીયા મોરબીના ન્યુ પેલેસમાં આગ લગતા ત્રણ રૂમમાં મૂકવામાં આવેલ એન્ટિક ફર્નિચર સહિતની વસ્તુઓ બળીને ખાખ મોરબીના રફાળેશ્વર નજીકથી ટ્રક પલટી મારી જતાં ઇજા પામેલા ડ્રાઈવરનું મોત: મોરબીમાં ઘર પાસેથી બાઈકની ચોરી માળીયા (મી)ના કાજરડા ગામે ઈંડા-મુરઘીની દુકાન ધરાવતા યુવાન ઉપર 4 શખ્સોએ કર્યો છરી-ધોકા વડે હુમલો મોરબી શહેર-તાલુકામાં બે રેડમાં દારૂની 58 બોટલ ઝડપાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી


SHARE











મોરબીમાં પતિ સાથે ઝઘડો થયા બાદ ગુમ થઈ ગયેલ મહિલાની મળી આવી

હાલ મોરબીના રોહીદાસપરા વિસ્તારમાં રહેતા અને મૂળ વઢવાણના રહેવાસી યુવાનના પત્ની ઘરેથી ચાલ્યા ગયા હતા અને એકાદ માસ બાદ પરિણીતાની ભાળ મળતા હાલ પોલીસે આ અંગે રાબેતા મુજબની આગળની તપાસ હાથ ધરી છે.

જાણવા મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગરના વઢવાણ ખાતે ૮૦ ફૂટ રોડ ઉપર આવેલ શ્રીજીનગર વિસ્તારના રહેવાસી અને હાલ મોરબીના વીસીપરાના રોહીદાસપરામાં રહેતા મુકેશ અમરાભાઇ ડાભીના પત્ની મધુબેન (ઉંમર વર્ષ ૩૬) ગત તા.૬-૩ ના રોજ ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ચાલ્યા ગયા હતા અને તે અંગે પોલીસમાં જાણ કરવામાં આવી હતી પોલીસ તપાસ ચલાવી રહી હતી દરમિયાનમાં ગત તા.૪-૪ ના રોજ ગુમ થયેલા મધુબેન મુકેશભાઈ અમરાભાઇ ડાભીની ભાળ મળી હતી અને તેઓ ઘરે પરત આવી ગયા હતા અને મધુબેને પહેલા સખી વન સ્ટોપ સેન્ટર ખાતે મુકવામાં આવ્યા હતા.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મછકના વી.ડી.મહેતા દ્વારા તપાસ કરવામાં આવી હતી અને તેમાં ખુલ્યુ હતું કે પતિ સાથે ઝઘડો થતો હોય તે બાબતનું મનમાં લાગી આવતા પ્રથમ પોતાના માવતરને ત્યાં અને બાદમાં સુરતની કોઈ સંસ્થા ખાતે રહેવા ચાલ્યા ગયા હતા હાલ પોલીસે તેઓનું ઉપર મુજબનું નિવેદન નોંધાવીને આગળની વધુ તપાસ હાથ ધરી છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં

મોરબીના માળીયા હાઇવે ઉપર આવેલ કાવેરી સીરામીક શક્તિનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.આ સામસામી મારામારીમાં ચેતન ભાવસિંગ નકુમ (ઉંમર ૩૦) અને સામેવાળા ચેતન મનસુખભાઇ માંગણીયા (ઉમર ૪૨) ને ઈજા થતા બંનેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લવાયા હતા બાદમાં બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા આ મારામારીના બનાવ અંગે આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

આધેડનું મોત

મૂળ મોટાભેલા ગામના વતની અને હાલ મોરબીના સામાકાંઠે મહાવીર સોસાયટી પાસેની ધર્મસિધ્ધી સોસાયટીમાં રહેતા હિતેશભાઈ નર્મદાશંકરભાઈ વ્યાસ (૪૯) ને તેમના ઘેર છાતીમાં હૃદયરોગનો હુમલો આવી જતા બેભાન હાલતમાં અહિંની સિવિલે લઈ જવાયા હતા જ્યાં ફરજ ઉપરના તબીબે તેઓને મૃત જાહેર કર્યા હતા અને બનાવની જાણ કરતાં હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News