ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 


SHARE











મોરબીની આર્યતેજ હોસ્પિટલમાં સોમવારે ફ્રી નિદાન કેમ્પ યોજાશે 

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે આવેલ આર્યતેજ જનરલ હોસ્પિટલમાં આગામી તા. ૧૦ ના રોજ ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને આ કેમ્પ સોમવારે સવારે ૯ થી ૧ દરમિયાન યોજાશે જેમાં દર્દીઓને રાહત ભાવે દવાઓ આપવામાં આવશે તેમજ લોહી અને પેશાબની તપાસ પણ કરી આપવામાં આવશે.

મોરબીના લક્ષ્મીનગર ગામ પાસે વિદ્યાપ્રેમવર્ધન એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત આર્યતેજ જનરલ હોસ્પિટલ ખાતે આગામી સોમવારે ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સ્ત્રી રોગો નિષ્ણાંત, જનરલ ફિઝિશિયન, બાળરોગના નિષ્ણાંત, જનરલ સર્જન, હોમિયોપેથીકના નિષ્ણાત, ફિઝીયોથેરાપીસ્ટ, કાન, નાક, ગળાના નિષ્ણાત, ચામડીના રોગોના નિષ્ણાંત, આંખના નિષ્ણાત, દાંતના નિષ્ણાત ડોક્ટરો દ્વારા દર્દીઓના દર્દનું નિદાન કરવામાં આવશે તેમજ આયુર્વેદિક સારવારના નિષ્ણાંત દ્વારા હરસ, મસા, ભગંદરના વિગેરેના દર્દીઓના દર્દનું નિદાન કરશે આ કેમ્પની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૫૧૨૪ ૧૦૦૬૩ તેમજ ૯૪૨૮૩ ૪૭૮૦૦ ઉપર સંપર્ક કરવા આયોજકોએ જણાવ્યુ છે






Latest News