મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે


SHARE







મોરબીની અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહ યોજાશે

મોરબી શહેરના સામાકાંઠે અરૂણોદયનગર સોસાયટીમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૭ થી ૧૩ એપ્રિલ સુધી આ શ્રીમદ ભાગવત સપ્તાહ ચાલુ રહેશે ત્યારે લોકોને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો લાભ લેવા માટે આયોજનએ જાહેર નિમંત્રણ આપ્યું છે

મોરબીના અરૂણોદયનગર સોસાયટીના ગરબી ચોકમાં તા. ૭ થી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે વ્યાસપીઠ ઉપરથી જમનબાપુ નિમ્બાર્ક તેની આગવી શૈલીમાં લોકોને કથાનું રસપાન કરાવશે આ કથા દરરોજ બપોરે ૩ થી ૬:૩૦ સુધી ચાલુ રહેશે અને કથા દરમ્યાના કપિલ ભગવાન પ્રાગટ્ય, વામન પ્રાગટ્ય, રામ પ્રાગટ્ય અને કૃષ્ણ પ્રાગટ્ય, રુક્ષ્મણી વિવાહ અને સુદામા ચરિત્ર સહિતના ધાર્મિક ઉત્સવને ધામધુમથી ઉજવવામાં આવશે તા. ૧૩ એપ્રિલના રોજ કથાની પુર્ણાહુતી થશે તો અરૂણોદયનગર સોસાયટી સહિતના મોરબીના લોકોને આ કથાનો લાભ લેવા માટે જાહેર નિમંત્રણ આપવામાં આવ્યું છે






Latest News