મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લીલાપર ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં


SHARE











મોરબીના લીલાપર ગામે ઝેરી દવા પી જતા યુવાન સારવારમાં

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ પાર્ટી પ્લોટ નજીક કોઈ કારણોસર યુવાન ઝેરી દવા પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર ગામે રહેતા રાજેન્દ્ર કૈલાષભાઈ સાંભલ નામના ૩૦ વર્ષના યુવાને લીલાપર પાસે આવેલ લાડલી પાર્ટી પ્લોટ નજીક વાળી વિસ્તારમાં કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને ૧૦૮ વડે અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તેની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવેલી હોય હાલમાં બીટ વિસ્તારના મહિલા એએસઆઇ એન.જે.ખડીયા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ કરવામાં આવી રહેલ છે.

યુવાન સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામે વિરાટનગર વિસ્તારમાં રહેતા ધીરજ હંસરાજભાઈ પટેલ નામના ૪૮ વર્ષના યુવાને કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો અને બનાવની જાણ થતા હાલમાં તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા દ્વારા બનાવના કારણ સંદર્ભે આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાંકાનેર હાઇવે ઉપર જાંબુડીયા ગામ પાસે રહેતા ગૌતમભાઇ લક્ષ્મીકાંતભાઈ દાસ નામના ૨૨ વર્ષના યુવાનને વાંકાનેર હાઇવે ઉપર દરિયાલાલ હોટલની સામે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા ૧૦૮ વડે તેને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યો હતો બનાવને પગલે હોસ્પિટલ દ્વારા યુવાનની સારવાર કરવામાં આવ્યા બાદ તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલમાં તાલુકા પોલીસ મથકના અશ્વિનભાઈ ઝાપડિયા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News