મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગલા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ મોરબી જીલ્લામાં સ્પાના નિયમન-નિયંત્રણ માટે કલેકટરે પ્રસિદ્ધ કર્યું જાહેરનામું મોરબી જિલ્લાના બંદર-ડેમ સહિત ૧૦૬ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા ઉપર પ્રતિબંધ
Breaking news
Morbi Today

મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ


SHARE











મોરબીમાં કોરોનની પ્રાઈવેટમાં સારવાર લેનાર દર્દીને વિમાની રકમ વ્યાજ સાથે ચૂકવવા કોર્ટનો આદેશ

મોરબીમાં રહેતા વ્યક્તિએ મેડિકલ વીમો લીધો હતો જો કે, તેને કોરોના સમયે પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી જો કે, વીમા કંપનીએ અડધી જ રકમ ચૂકવી હતી જેથી કરીને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી જેમાં વ્યાજ સાથે ગ્રાહકને રકમ આપવા કોર્ટે આદેશ કર્યો છે

મોરબીના વતની જય દેવિપ્રસાદ મહેતાએ કોરોનામાં પ્રાઇવેટ ડોકટરની સારવાર લીધી હતી અને જે ખર્ચ થયેલ હતો તે ઓરીયન્ટ વિમાં કંપનીએ અડધી રકમ ચુકવી હતી જેથી તેને મોરબી શહેર અને જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાનો સંપર્ક કર્યો હતો અને ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરીયાદ દાખલ કરી હતી અને ગ્રાહક કોર્ટે હુકમ કરેલ છે કે, ઓરીયન્ટ વિમાં કંપનીએ જય દેવિપ્રસાદ મહેતાને બાકી રહેતી રકમ ૫૯,૨૬૨ કેસ દાખલ થયો ત્યારથી એટ્લે કે તા.૩૧-૩-૨૨ થી ૭ ટકાના વ્યાજથી ચુકવવા નો આદેશ કરેલ છે. અને વધારામાં ગ્રાહકને ૫,૦૦૦ ખર્ચના પણ મંજુર કરેલ છે.

કોરોનાના કેઇસમાં વીમાં કંપની મનઘડત નિયમ લાવીને દર્દીને રકમ ચુકવતી નથી તે યોગ્ય નથી ગ્રાહક વિમો ઉતરાવે છે. ત્યારે ઘણી બધી મીઠી મીઠી વાતો કરે છે. લોભામણી વાતો કરે છે, પરંતુ જયારે વિમો ચુકવવાની વાત આવે ત્યારે સાચા ખોટા બહાના હેઠળ હાથ ઉંચા કરી દેવામાં આવે છે અને કોરોનામાં ઘણાને વિમાં ચુકવવામા ન આવ્યાની પણ ચર્ચા થાય છે. ત્યારે ગ્રાહક પ્રીમીયમ ભરે એટલે વિમો ચુકવવો જોઇએ ગ્રાહકે જાગૃતી લાવવાની જરૂરીયાત છે. અને કોઇ પણ ગ્રાહકને અન્યાય થાય તો મોરબી શહેર જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતા (૯૮૨૫૭ ૯૦૪૧૨) નો સંપર્ક કરવા જણાવ્યુ છે






Latest News