ચૂંટણી સમાચાર: મોરબી જીલ્લામાં પ્રથમ દિવસે 59 ફોર્મ આગેવાનોએ ઉપાડ્યા, ભરાયું એક પણ નહીં મોરબી જીલ્લામાં 13 પીઆઇ ની આંતરિક બદલી મોરબી જીલ્લામાં ચૂંટણીને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા, મતદાન મથકો, મિકલતો અને વાહનો માટે જુદાજુદા જાહેરનામા પ્રસિદ્ધ કરાયા મોરબી જીલ્લામાં સર્કિટ હાઉસ કે વિશ્રામગૃહોનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મોરબી જીલ્લામાં ૨૪ એપ્રિલ સાંજે ૬ વાગ્યે બંધ થશે ચૂંટણી પ્રચાર:  શાંતિપૂર્ણ મતદાન માટે જાહેરનામું મોરબી જીલ્લામાં ચૂંટણી દરમ્યાન પ્રચારમાં ભૂંગળા અને બહારથી આવતા રાજકીય આગેવાનો માટે કલેકટરે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું મોરબી જીલ્લામાં ભાજપના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ટિકિટ માંગનારા પૈકીનાં મોટાભાગના ગેરહાજર !, ટિકિટ ગમે તેને મળે કમળને જીતાડવાનું લક્ષ્ય રાખો: બાબુભાઈ જેબલિયા મોરબી જીલ્લામાં કામ કરતાં પરપ્રાંતિય કર્મચારીઓ અને ભાડુઆતની માહિતી પોલીસને આપવા જાહેરનામું પ્રસિદ્ધ
Breaking news
Morbi Today

મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી


SHARE











મોરબીના ખાખરાળા ગામના મૂળ રહેવાસી અધ્યાપકે પીએચડીની ડિગ્રી મેળવી

મોરબીના પ્રાધ્યાપકે 'સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ: એક અઘ્યયન' વિષય ઉપર પીએચડી કરીને મુકેશકુમાર એ. કાંજીયા ડીગ્રી હાંસલ કરી છે અને પરિવાર તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે જેથી તેની ઉપર ઠેરઠેરથી અભિનંદન વરસી રહ્યા છે

મોરબી નજીક આવેલ ખાખરાળા ગામના મૂળ રહેવાસી અને હાલ મ્યુનિસિપલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઉપલેટામાં હિન્દી વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા મુકેશકુમાર એ. કાંજીયાએ સુરેન્દ્ર વર્મા કે નાટકો કી ચરિત્ર સૃષ્ટિ એક અઘ્યયન વિષય ઉપર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આર્ટ્સ વિભાગના ભૂતપૂર્વ ડીન અને ઉપલેટા મ્યુનિસિપલ કોલેજના પ્રો ડૉ પ્રવિણસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મહાશોધ નિબંધ તૈયાર કરીને યુની.માં રજૂ કર્યો હતો. જે યુની.એ માન્ય રાખીને તેમને પી.એચ.ડી.ની પદવી એનાયત કરી છે ત્યારે પી.એચ.ડી.ની પદવી મેળવી મોરબી તેમજ પરિવારનું ગૌરવ વધાર્યું છે






Latest News