મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે


SHARE











મોરબીમાં કાલે ભોજાણી પરિવારના કુળદેવીના મંદિરે નવચંડી યજ્ઞ યોજાશે

મોરબી શહેરના નહેરૂ ગેટ ચોક પાસે ભોજાણી પરિવારના કુળદેવી ભવાની માતાજીનું મંદિર આવેલ છે ત્યાં દર વર્ષે નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતું હોય છે તેવી જ રીતે આગામી તા ૫ ના રોજ ભોજાણી પરિવારના કુળદેવીનો નવચંડી યજ્ઞ રાખવામાં આવ્યો છે જેમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં વસતા ભોજાણી પરિવારના લોકો સહકુટુંબ હાજર રહેશે તેવું આયોજકોએ જણાવ્યું છે

મોરબીમાં ભોજાણી પરિવારના કુળદેવી માતાજીના નવચંડી યજ્ઞનું દર વર્ષે આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે આગામી તા ૫/૪ ને બુધવારના રોજ કુળદેવી ભવાની માતાજીનું મંદિર મોરબી નહેરુ ગેઇટ ચોક પાસે આવેલ છે ત્યાં નવચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સવારે ૮:૩૦ વાગ્યા હવન, બપોરે ૧૨:૩૦ વાગ્યે બીડું હોમશે અને ત્યારબાદ મહાપ્રસાદ યોજાશે જેનો સમગ્ર ભોજાણી પરિવારના લોકોએ સહકુટુંબ હાજર રહીને લાભ લેવા માટે થઈને આયોજકોએ જણાવ્યું છે અને આ નવચંડી યજ્ઞ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર ૯૦૩૩૩ ૦૫૧૧૨ ઉપર સંપર્ક કરવા માટે આયોજકોએ જણાવ્યું છે






Latest News