મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન મોરબીમાં પિતાની પુણ્યતિથિએ દીકરીએ કર્યું રક્તદાન કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત


SHARE











મોરબી બ્રેકીંગ : વાંકાનેરના કોટડા નાયાણી ગામે કૂવો ગાળતા ૩ લોકોના મોત

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકામાં બનેલો બનાવ

વાંકાનેરના કોટડા નાયાણી ગામે કુવો ગાળતા થયો અકસ્માત

કુવા ગાળતા સમયે ભેખડ ઘસી પડતા ત્રણ મજુર દટાયા

ભેખડ નીચે દટાયેલા ત્રણેય મજુરોના મોત નિયજ્યા

બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ખેતરમાં કૂવો ગાળતા સમયે અકસ્માત બનાવ બન્યો હતો જેમાં ખોદકામ દરમિયાન ભેખડ ઘસી પડતા ખોદકામ કરી રહેલા ત્રણ મજૂરો દટાયા હતા અને ત્યારબાદ તેમનું રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવતા બે લોકોના મોત નિપજયા હોય બે લોકોના મૃતદેહ જ હાથ લાગ્યા હતા જેથી બે મજુરોના મૃતદેહને વાંકાનેર સિવિલ ખાતે ખસેડાયા હતા જ્યારે એક મજુરને બેભાન હાલતમાં રાજકોટ લઈ જવાતા ત્યાં ટુંકી સારવારમાં તેનું મોત નીપજયુ હતુ અને મૃતદેહ રાજકોટ હોવાનું હાલ પોલીસ સૂત્રોમાંથી પ્રાથમિક ધોરણે જાણવા મળ્યું છે.બનાવને પગલે વાંકાનેર તાલુકા પોલીસ મથકના સોનારા આગળની તપાસ ચલાવી રહ્યા છે.મૃતકો સ્થાનિક મજૂરો હોવાની હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે

જે બે વ્યક્તિના વાંકાનેર ખાતે મોત થયા છે તેમા નાગજીભાઈ સોમાભાઈ સિતાપરા (૪૦) અને મનસુખભાઈ પોપટભાઈ સોલંકી (૪૫) નો સમાવેશ થાય છે અને જે ઇજાગ્રસ્તને રાજકોટ લઇને ગયા હતા તેનું નામ વિનુભાઇ બચુભાઈ ગોરીયા છે અને તેનુ ત્યાં સારવાર દરમ્યાન મોત થયુ હોવાનું પોલીસ સુત્રો પાસેથી જાણવા મળ્યુ છે અને કોટડા નાયાણી ગામે ફિરોઝભાઈ હુસેનભાઇ કાતીયરની વાડીએ કુવામાં ઘટના બનેલ છે

 






Latest News