હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

ટંકારાના બંગાવડી પાસે રોજડા સાથે સાયકલ અથડાતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં


SHARE











ટંકારાના બંગાવડી પાસે રોજડા સાથે સાયકલ અથડાતાં ઇજા પામેલા બે યુવાન સારવારમાં

ટંકારા તાલુકાના બંગાવડી ગામ પાસે વાડીએ રહીને મજૂરી કામ કરતા બે યુવાનો સાયકલ લઈને વાડી બાજુ જતા હતા ત્યારે રસ્તામાં તેની સાયકલાને રોજડુ ઉતરતા રોજડા સાથે સાયકલ અથડાઈ હતી અને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા બંને યુવાનોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની પ્રથમ સ્થાનિક પોલીસ સ્ટેશનને જાણ કરવામાં આવી હતી ત્યારબાદ આ અંગેની જાણ ટંકારા તાલુકા પોલીસને કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે ટંકારા તાલુકાના બંગાવડી ગામે લવજીભાઈની વાડીએ રહીને મજૂરી કામ કરતા મુકેશભાઈ ખીલુભાઈ મેડા (૩૦) અને દિવાલ હઠીલા (૩૫) બંને સાયકલ ઉપર પોતાની વાડી બાજુ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેઓની સાઇકલ આડે રોજડુ ઉતર્યું હતું જેથી કરીને રોજડા સાથે સાયકલ અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં મુકેશભાઈ તથા દિવાલભાઈને ઇજાઓ થઈ હોવાથી તે બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પ્રથમ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા પ્રાથમિક કાગળ કરીને આ બનાવની ટંકારા તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

પરિણીતા ગુમ

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રામધન આશ્રમ પાસે રામેશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઇ કેશવજીભાઈ સાણજા (૩૦) એ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરી હતી કે તેમના પત્ની ખુશ્બુબેન ઉર્ફે જલ્પાબેન ચેતનભાઇ સાણજા (૨૫) ઘરે કોઈને કશું કર્યા વગર જતા રહ્યા છે જેથી પોલીસે ગુમસુધા નોંધ કરીને ગુમ થયેલ પરણીતાને શોધવા માટે જુદી જુદી દિશામાં તપાસ શરૂ કરેલ છે અને આ અંગેની આગળની તપાસ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે

માર માર્યો

મોરબીના વાઘપરા વિસ્તારમાં મારામારીમાં ઈજા થતાં કૈલાશ લાભુભાઈ જાદવ (૩૫) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને મારામારીના બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની તપાસ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા હોય તેની પાસેથી મળતી વિગત પ્રમાણે અજાણ્યા માણસે માર મારતા ઇજા પામેલ યુવાનને સારવારમાં લઈને આવ્યા છે






Latest News