મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE











વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેરના નવાપરામાં ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર રાખનારા કોન્ટ્રાકટર દ્વારા એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબર આધારે બે ટ્રાન્સફોર્મર મેળવી લેવામાં આવ્યા હતા અને તે બે પૈકીનાં એક ટ્રાન્સફોર્મરને તેને વેચી નાખ્યું છે જેથી કરીને હાલમાં વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટર સામે ૧,૦૧,૨૯૫ ની કિંમતના ટ્રાન્સફોર્મરને છેતરીપીંડી અને વિશ્વાસઘાતની મેળવીને વેચી દીધું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયા જાતે વાણીયા (૫૪)એ પી.જી.વી.સી.એલ.મા લાઇન કામ કોન્ટ્રાક્ટર અલ્પેશ જે. મેર (શ્રી નિલેષ કોન્ટ્રાક્ટર)ની સામે છેતરીપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૨/૦૯/૨૦૨૧ ના રોજ વાંકાનેરમાં નવાપરામાં આવેલ ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી આરોપી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર છે જેથી તેને પી.જી.વી.સી.એલ.ના વાંકાનેર તાલુકાના પાજ ગામે અરજદાર માથુકીયા મહમદ અલાવદી એસ.આર. (સર્વિસ રીક્વેસ્ટ નંબર) ૧૩૫૬૫૧૮૨ વાળાને કનેક્શન આપવા માટે ૬૩ કે.વી.એ. નું ટ્રાન્સફોર્મર ઉભુ કરવા ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૮૮૫૬ વાળુ મેળવ્યું હતું અને ત્યાર બાદ ફરી પાછા તે જ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૯૮૮ વાળુ ૬૩ કે.વી.એ. નું મેળવ્યું હતું આમ એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબરથી બે ટ્રાન્સફોર્મર લઈ લીધા હતા અને રૂપિયા ૧,૦૧,૨૯૫ નું ટ્રાન્સફોર્મર છળકપટથી સ્ટોર રૂમમાંથી મેળવીને બે પૈકીનાં સીરીયલ નંબર ૯૮૮ વાળા ટ્રાન્સફોર્મરને વેચી દઇ પી.જી.વી.સી.એલ. સાથે છેતરીપીંડી અને વિશ્વાસઘાત કરી છે જેથી કરીને હાલમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ફરિયાદ લઈને કોન્ટ્રાક્ટર અને તેની સાથે સંડોવાયેલ હોય તેની સામે આઇપીસી કલમ ૪૦૬૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News