હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ


SHARE











વાંકાનેરમાં વીજ કંપનીનો કોન્ટ્રાકટર એક જ સર્વિસ રીક્વેસ્ટ આધારે બે ટ્રાન્સફોર્મર લઈ ગયો !: હવે છેતરીપીંડી-વિશ્વાસઘાતની ફરિયાદ

વાંકાનેરના નવાપરામાં ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર રાખનારા કોન્ટ્રાકટર દ્વારા એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબર આધારે બે ટ્રાન્સફોર્મર મેળવી લેવામાં આવ્યા હતા અને તે બે પૈકીનાં એક ટ્રાન્સફોર્મરને તેને વેચી નાખ્યું છે જેથી કરીને હાલમાં વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર દ્વારા કોન્ટ્રાક્ટર સામે ૧,૦૧,૨૯૫ ની કિંમતના ટ્રાન્સફોર્મરને છેતરીપીંડી અને વિશ્વાસઘાતની મેળવીને વેચી દીધું હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર પી.જી.વી.સી.એલ.ના કાર્યપાલક ઇજનેર પરેશભાઇ શરદચંદ્ર ધુલીયા જાતે વાણીયા (૫૪)એ પી.જી.વી.સી.એલ.મા લાઇન કામ કોન્ટ્રાક્ટર અલ્પેશ જે. મેર (શ્રી નિલેષ કોન્ટ્રાક્ટર)ની સામે છેતરીપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, ગત તા.૦૨/૦૯/૨૦૨૧ ના રોજ વાંકાનેરમાં નવાપરામાં આવેલ ક્રીષ્ના આઇસ ફેક્ટરી પાસે પી.જી.વી.સી.એલ.ની સ્ટોર ઓફીસ આવેલ છે ત્યાંથી આરોપી પી.જી.વી.સી.એલ. મા લાઇન કામ કોન્ટ્રાક્ટર છે જેથી તેને પી.જી.વી.સી.એલ.ના વાંકાનેર તાલુકાના પાજ ગામે અરજદાર માથુકીયા મહમદ અલાવદી એસ.આર. (સર્વિસ રીક્વેસ્ટ નંબર) ૧૩૫૬૫૧૮૨ વાળાને કનેક્શન આપવા માટે ૬૩ કે.વી.એ. નું ટ્રાન્સફોર્મર ઉભુ કરવા ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૮૮૫૬ વાળુ મેળવ્યું હતું અને ત્યાર બાદ ફરી પાછા તે જ સર્વિસ રીક્વેસ્ટ નંબર ૧૩૫૬૫૧૮૨ થી ટ્રાન્સફોર્મર સીરીયલ નંબર ૯૮૮ વાળુ ૬૩ કે.વી.એ. નું મેળવ્યું હતું આમ એક જ સર્વિસ રીક્વેસ્ટ નંબરથી બે ટ્રાન્સફોર્મર લઈ લીધા હતા અને રૂપિયા ૧,૦૧,૨૯૫ નું ટ્રાન્સફોર્મર છળકપટથી સ્ટોર રૂમમાંથી મેળવીને બે પૈકીનાં સીરીયલ નંબર ૯૮૮ વાળા ટ્રાન્સફોર્મરને વેચી દઇ પી.જી.વી.સી.એલ. સાથે છેતરીપીંડી અને વિશ્વાસઘાત કરી છે જેથી કરીને હાલમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની ફરિયાદ લઈને કોન્ટ્રાક્ટર અને તેની સાથે સંડોવાયેલ હોય તેની સામે આઇપીસી કલમ ૪૦૬૪૨૦ મુજબ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે






Latest News