હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે


SHARE











ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આજે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનના માળિયા મિયાણા સ્ટેશન એ થી માળિયા મિયાણા સ્ટેશન બી વચ્ચે ડબલિંગની કામગીરીને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થનારી ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ આંશિક રીતે ડાયવર્ટ કરાયેલા રૂટ પર દોડશે. રાજકોટ ડિવિઝનના સીનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, ૨૫ માર્ચના રોજ ગાંધીધામથી ઉપડનારી ટ્રેન નંબર 15667 ગાંધીધામ-કામખ્યા એક્સપ્રેસ ડાયવર્ટ કરાયેલા રૂટ વાયા માળિયા મિયાણા-ધ્રાંગધ્રા-વિરમગામ થઈને દોડશે. જેથી કરીને આ ટ્રેન મોરબી, વાંકાનેર અને સુરેન્દ્રનગર સ્ટેશને જશે નહીં જેથી કરીને આ સ્ટેશનના મુસાફરોને ટ્રેનના ફેરફારને ધ્યાનમાં લેવા અધિકારી જણાવ્યુ છે

'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરાઇ

રાજકોટ રેલવે ડિવિઝનમાં 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. રાજકોટ ડીવીઝનના ડીવીઝનલ રેલવે મેનેજર અનિલ કુમાર જૈન અને પ્રિન્સીપલ ચીફ મેડીકલ ડાયરેકટર, મુંબઈ ડો. છત્તરસિંહ આનંદના માર્ગદર્શન હેઠડ ચીફ મેડીકલ સુપરિન્ટેન્ડેન્ટ, રાજકોટ ડો. રાજકુમારની અધ્યક્ષતામાં ડિવિઝનલ રેલવે હોસ્પિટલ, રાજકોટના તમામ ડોકટરો અને પેરા-મેડીકલ સ્ટાફ દ્વારા 'વિશ્વ ટીબી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ડો.રાજકુમારે જણાવ્યું હતું કે "વિશ્વ ટીબી દિવસ" નો હેતુ લોકોને ટીબી વિશે જાગૃત કરવાની સાથે તેના નિવારણ માટે પ્રયત્નો કરવાનો છે. ટીબી માત્ર દર્દીના સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ અસર કરતું નથી, પરંતુ ટીબીની સામાજિક અને આર્થિક અસરો પણ ખતરનાક છે. ત્યાર બાદ રેલવે હોસ્પિટલના ડો.સમુદ્ર માને અને ચીફ નર્સિંગ સુપરિન્ટેન્ડેન્ટ શ્રીમતી એન.પદ્માચાએ હોસ્પિટલના મેડિકલ સ્ટાફને ટીબીના દર્દીઓની સારવાર કેવી રીતે કરવી તેની ઉપયોગી માહિતી આપી હતી.






Latest News