મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત


SHARE











મોરબીમાં દસ્તાવેજ નોંધણીના ટોકન ન મળતા ૯૦૦ પક્ષકારો હેરાન: પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ની રજુઆત 

રાજ્યમાં નવો જંત્રી દર લાગુ પડે તે પહેલા દસ્તાવેજ કરવા માટે આસામીઓ પડાપડી કરી રહ્યા છે જો કે, સ્લોટ ન હોવાથી તેઓને ટોકન મળી રહ્યા નથી જેથી કરીને આસામી હેરાન થઈ રહ્યા હે ત્યારે મોરબીની વાત કરી તો મોરબી સબ રજિસ્ટ્રાર કચેરીએ દસ્તાવેજ નોંધણીમાં હાલમાં આગામી તા ૧૫/૪ સુધીનું બુકિંગ થઈ ગયું છે જેથી કરીને ૯૦૦ જેટલા પક્ષકારોને ટોકન મળી રહ્યા નથી એટ્લે કે તેઓને જૂની જંત્રીનો લાભ મળશે નથી જેથી કરીને વ્યવસ્થાકીય ખામીને દૂર કરીને લોકો માટે પૂરતા સ્લોટ ફાળવવા રેવન્યુ બાર એસો.ના પ્રમુખ દ્વારા રજુઆત કરવામાં આવી છે.

મોરબી રેવન્યુ બાર એસોસિએશના પ્રમુખ પિયુષભાઈ રવેશીયાએ હાલમાં મોરબી સબ રજિસ્ટ્રાર અધિકારીને લેખિતમાં રજુઆત કરી છે તેમાં જણાવ્યુ છે કે, ૧૫ એપ્રિલ સુધીના તમામ ટોકન આસામીઓને આપી દેવામાં આવ્યા છે જો કે, આજની તારીખે ૯૦૦ જેટલા પક્ષકારોને દસ્તાવેજ માટે ટોકન લેવા છે પરંતુ તેને ટોકન મળી રહ્યા નથી જેથી તે લોકો જુના જંત્રી દર મુજબ દસ્તાવેજ બનાવી શકશે કે નહીં તે સવાલ છે જેથી કરીને સ્લોટનો સમય ઘટાડીને વધુમાં વધુ લોકોને તેનો લાભ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી અગાઉ માંગ કરવામાં આવી હતી ત્યાર બાદ વધુ એક વખત રજૂઆત કરવામાં આવી છે જેમાં જણાવ્યુ છે કે, ટોકન માટે પોર્ટલ ઉપર જેવા સ્લોટો બહાર પડે કે તુરત જ ટોકન બુક થઈ જાય છે અને આજની તારીખે તા ૧૫/૪ સુધીના તમામ ટોકન બુક થઈ ગયા છે. જેથી ૯૦૦ જેટલા પક્ષકારો ટોકનથી વંચિત ન રહે તેના માટે પૂરતા સ્લોટો ફાળવવા અને સ્ટાફ ઓછો હોય વધુ એસટીએફ મૂકવાની માંગ કરવામાં આવી છે તેમજ શનિવાર અને રવિવારે રજાના દિવસોમાં પણ કામ ચાલુ રાખવા માંગણી કરવામાં આવી છે






Latest News