હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબી : નવા ધનાળા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા દલવાડી યુવાનનું મોત


SHARE











મોરબી : નવા ધનાળા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા દલવાડી યુવાનનું મોત

મોરબી જિલ્લાના હળવદ તાલુકાના નવા ધનાળા ઘનશ્યામનગર ખાતે રહેતા દલવાડી યુવાનને ઇલેક્ટ્રિક શોર્ટ લાગતા તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજયુ હોવાનું જાણવા મળેલ છે અને બનાવ સંદર્ભે હળવદ પોલીસને જાણ કરવામાં આવી હોવાનું સૂત્રએ જણાવેલ છે.

મોરબી એ ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે હળવદ તાલુકાના નવા ધનાળા ગામે આવેલ ઘનશ્યામનગર વિસ્તારમાં રહેતા શૈલેષ વાસુદેવભાઈ કણજારીયા નામના ૩૪ વર્ષના યુવાનને ઇલેક્ટ્રીક શોટ લાગ્યો હોવાથી તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને અહીં ટૂંકી સારવાર દરમિયાન શૈલેષ કણજારીયાનું મોત નીપજયુ હતું.જેથી મૃતકના ડેડબોડીને પીએમ માટે ખસેડવામાં આવ્યું હતું.સિવિલ હોસ્પિટલ દ્વારા પોલીસને જાણ કરવામાં આવેલી હોય હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડાએ પ્રાથમિક તપાસ કરીને બનાવ હળવદ પંથકનો હોય હળવદ પોલીસને આગળની તપાસ અર્થે જાણ કરી હતી.

મારામારીના બનાવમાં બેને ઈજા

મોરબીના નવલખી હાઇવે ઉપર લુંટાવદર ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં સચિન ગુડ્ડુભાઈ બેનજારા (૨૧) અને ફુલ્લુભાઈ સચિનભાઈ બેનજારા (ઉંમર ૩) રહે.બંને લુંટાવદર તાલુકો જીલ્લો મોરબી નામના પિતા-પુત્રને મારામારીના બનાવમાં ઇજાઓ પહોંચી હોય બંનેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા હોસ્પિટલ ખાતે તેઓની સારવાર કરવામાં આવ્યા બાદ બનાવ અંગે તાલુકા પોલીસમાં જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસ મથકના અર્જુનસિંહ ઝાલા દ્વારા નોંધ કરીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામે રહેતા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થતા સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.સિવિલ હોસ્પિટલ દ્વારા મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી જણાવવામાં આવ્યું હતું કે બેલા ગામ પાસે રહેતા સંતોષ સુરેશભાઈ હવાલા નામના ૩૦ વર્ષના યુવાનને બેલા ગામની પાસે વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચેલ હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આ અંગે આગળની તપાસ ચલાવી રહ્યા છે






Latest News