મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે


SHARE











મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિર યોજાશે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આર્ટ ઓફ લિવિંગ સંસ્થાના સયુંકત ઉપક્રમે મોરબી જિલ્લામાં રવિવારે નિઃશુલ્ક યોગ-ધ્યાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે અને મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે આ શિબિર યોજાવાની છે

ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આર્ટ ઓફ લિવિંગના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સરકાર દ્વારા રાજ્યના ૩૩ જિલ્લાઓ અને ૮ મહાનગરપાલિકા ખાતે એક જ સમયે "હર ઘર ધ્યાનઘર ઘર યોગ" કાર્યક્રમ અંતર્ગત એક દિવસીય નિ:શુલ્ક યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલ છે જેનો ઉમદા હેતુ ગુજરાતના તમામ નાગરિકોના સ્વાસ્થ્યસુખાકારીયોગ પ્રત્યે જાગૃતિતેમજ યોગના પ્રચાર પ્રસાર અંગેનો છે ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો હેતુ આવા પ્રકારના જુદા જુદા યોગના કાર્યક્રમો દ્વારા સમગ્ર ગુજરાતમાં યોગનો વ્યાપ વધેલોકો યોગ કરતા થાય અને સમગ્ર ગુજરાતમાં યોગ અંગેનો માહોલ ઊભો થાય અને લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.ત્યારે મોરબીના શનાળા ગામ પાસે આવેલ સરસ્વતી શીશુ મંદિર શાળા ખાતે તા ૨૬ ને રવિવારે સવારે ૬ થી ૮ નિઃશુલ્ક યોગ ધ્યાન શિબિર યોજાવાની જેમાં મોરબી જિલ્લાની યોગ પ્રેમી જનતાને જોડાવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું છે અને તે રજીસ્ટ્રેશન https://forms.gle/aR7GEWdTheLQ5jFN6 લીંક ટચ કરીને કરી શકશે તેવું મોરબી જિલ્લા યોગ કોર્ડીનેટર વાલજી પી. ડાભી (૯૫૮૬૨ ૮૨૫૨૭) અને મોરબી ડિસટ્રિક આર્ટ ઓફ લિવિંગ ટીચર-કોર્ડીનેટર હાર્દિકભાઈ ભાલોડીયા (૯૮૨૫૨ ૧૫૫૫૧) એ જણાવ્યુ છે






Latest News