મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું મોરબીના મોડપર ગામે હનુમાન જયંતિના દિવસે હનુમાન મંદિરે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે


SHARE











મોરબીમાં મહિલાઓને સતાવતા મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શન સેમિનાર યોજાશે

રજોનિવૃત્તિ એટલે કે મેનોપોઝ એ રોગ નથી પરંતુ અવસ્થા છે. આ એવો સમય છે જેમાં મહિલાઓ માનસિક રીતે સૌથી વધુ મૂંઝવણ અનુભવે છે. ત્યારે મોરબી ખાતે આગામી તા ૨૩ ના રોજ મેનોપોઝ પર નિઃશુલ્ક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં આ સેમિનાર સાંજે ૪ થી ૬ વાગ્યના સમયમાં શનાળા રોડ ઉપર આવેલ સંસ્કાર ધામ હોલ ખાતે રાખવામા આવેલ છે આ નિશુલ્ક સેમીનાર છે જેથી કરીને મહિલાઓને તેનો લાભ લેવા માટે આયોજકો દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે આ તકે સદભાવના હોસ્પિટલના તબીબ અને IMA મોરબીના સિનિયર સ્ત્રીરોગ નિષ્ણાંત ડો. હેમા પટેલ મેનોપોઝ સંબંધિત માર્ગદર્શન આપશે તેમજ સેમીનારમાં મેનોપોઝ પેહલા, દરમ્યાન અને પછી થતી તકલીફો અને તેનું નિવારણ તથા સ્ત્રીઓને થતાં કેન્સર અંગે માહિતી આપવામાં આવશે. આ સેમિનારમાં ભાગ લેવા માટે મોબાઈલ નં ૬૩૫૧૪ ૩૧૫૫૪ ઉપર રજિસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય છે






Latest News