મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા


SHARE







માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનની સુવિધા બાબતે પ્રશ્ન કરતાં ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવનને પ્રવાસનમાં લેવામાં આવેલ છે અને તેના વિકાસ માટે ગ્રાન્ટ પણ આપવામાં આવી છે ત્યારે સુવિખ્યાત તીર્થધામ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયા મુકામે આવતા મુમુક્ષુઓ, શ્રદ્ધાળુઓની સુવિધામાં વધારો કરવા માટે જુદાજુદા કામ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે ત્યાં આવતા લોકોની ચિંતા કરીને મોરબી ધારાસભ્યએ ગુજરાત વિધાનસભામાં આ અંગે પ્રશ્ન પૂછ્યો હતો.

માળીયા (મી)ના વવાણિયામાં આવેલ શ્રીમદ્ રાજચંદ્ર ભુવન ખાતે સુવિધાઓ વધારવા માટેના જુદાજુદા કામ કરવામાં આવી રહ્યા છે ત્યારે આ બાબતે મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિધાનસભામાં પ્રશ્ન કરવામાં આવ્યો હતો જેના જવાબમાં પ્રવાસન મંત્રીએ જણાવેલ હતું કે તા. ૩૧/૧૨/૨૨ ની સ્થિતિએ મોરબી જિલ્લાના શ્રીમદ્ રાજચંદ્ર ભુવન વવાણીયામાં આવતા પ્રવાસીઓ માટે આશરે ૮૦૧.૧૧ લાખના ખર્ચે સત્સંગ હોલ, ભોજનાલય, રસોઈ ઘર, કમ્પાઉન્ડ વોલ, સિક્યુરિટી કેબિન, મેઈન ગેઇટ, લેન્ડરસ્કેપિંગ અને ટોઇલેટ બ્લોક તમામ સુવિધાઓ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરાયેલ છે






Latest News