હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીની સેઝોન પેપર મિલના બોઇલર વિભાગમાં આગની જાળ લાગતાં દાજી ગયેલ બે મજૂર સારવારમાં


SHARE











મોરબીની સેઝોન પેપર મિલના બોઇલર વિભાગમાં આગની જાળ લાગતાં દાજી ગયેલ બે મજૂર સારવારમાં

મોરબી વાંકાનેર હાઈવે ઉપર આવેલ લખધીરપુર રોડ ઉપર પેપર મીલની અંદર બોઇલર વિભાગમાં કોલસા નાખતા સમયે આગની જાળમાં દાઝી ગયેલ બે મજૂરને સારવાર માટે ખસેડાયા હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના લખધીરપુર રોડ ઉપરના સેઝોન પેપર મીલ નામના યુનિટમાં બોઇલર વિભાગમાં કોલસાની ભઠ્ઠીમાં બારી ખોલીને અંદર કોલસો નાખતા સમયે આગની જાળ પાછી આવતા જાળમાં પ્રદીપ યાદવ અને ધનકા કમલેશભાઈ રહે. બંને સેઝોન પેપર મીલ લેબર કવાર્ટર વાળાઓ દાજી ગયા હતા જેથી તેને અત્રેની આયુષ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા. અને હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવેલી હોય તાલુકા પોલીસ મથકના એ.એમ. જાપડીયા દ્વારા આ અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના વાઘપરા વિસ્તારમાં રહેતા જગદીશભાઈ લક્ષ્મણભાઈ સોનાગ્રા (૨૭) તથા તેમના પત્ની નેહાબેન જગદીશભાઈ સોનાગ્રા (૨૫) ને વાહન અકસ્માતમાં ઇજા થતા બંનેને પ્રથમ અત્રેની સિવિલ હોસ્પિટલ અને બાદમાં આયુષ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. અને પોલીસ તરફથી મળતી માહિતી મુજબ વાઘપરામાં રહેતા જગદીશભાઈ અને નેહાબેન બને નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જતા બંનેને ઈજા પહોંચી હતી જેથી સારવારમાં લઈને આવ્યા હતા અને બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા આગળની તપાસ ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા

મોરબીના સામાકાંઠે શોભેસ્વાર રોડ પાસે આવેલ જૂની કુબેર ટોકીઝની પાછળ મફતિયાપરા વિસ્તારમાં રહેતા દિલીપભાઈ કરસનભાઈ કુંઢીયા (૫૦)ને મારામારીના બનાવવામાં ઈજા થતાં સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના વાલભાઈ ચાવડાએ તપાસ કરતાં એવી માહિતી સામે આવી હતી કે, સાળા તથા બનેલી વચ્ચે કોઈ બાબતે બોલાચાલી અને ઝઘડો થયો હતો અને તે બાદ થયેલ મારામારીના બનાવમાં દિલીપભાઈ કુંઢીયાને ઇજાઓ પહોંચતા સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તો મોરબીના વીસીપરામાં આવેલ શાંતિવન સોસાયટીમાં રહેતા દેવજીભાઈ બટુકભાઈ નામના ૩૨ વર્ષના યુવાનને પણ ઘર નજીક મારામારીના બનાવમાં ઈજા પહોંચી હોય તેને સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો આ બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણા દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News