મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો


SHARE







મોરબીના લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા નેત્રયજ્ઞ કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સીટી અને લીયો કલબ ઓફ મોરબી સીટી દ્વારા છઠ્ઠો નેત્રયજ્ઞ સેવા કેમ્પ યોજાયો હતો.રણછોડદાસજી બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ-રાજકોટ તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા આયોજીત વિનામૂલ્યે આ નેત્રયજ્ઞ સેવા કેમ્પ કરવામાં આવ્યો જેમાં આશરે ૧૨૦ વ્યક્તિઓને તપાસ્યા હતા તેમાંથી ૩૫ વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન માટે રાજકોટની રણછોડદાસ બાપુ ચેરિટેબલ ટ્રસ્ટ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.હાલ સુધીમાં લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા ૩૦૦ જેટલી વ્યક્તિઓને મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યા છે.મોતિયાના ઓપરેશનમાં ગયેલ દર્દીએ પોતાના રિવ્યુમાં રણછોડદાસજી ચેરીટેબલ ટ્રસ્ટ હોસ્પિટલ દ્વારા સારવાર અને જમવા રહેવાની વ્યવસ્થા બાબતે ખુબ જ સંતોષ વ્યક્ત કર્યો હતો.

કેમ્પમાં લાયન્સ ઇન્ટરનેશનલ  સૌરાષ્ટ્ર કચ્છના દ્વિતીય વાઈસ ગવર્નર લા. રમેશભાઈ રૂપાલા, પાસ્ટ પ્રેસિડેન્ટ લા.ભીખાભાઈ લોરિયા, લા.અમરસીભાઈ અમૃતિયા, પ્રોજેક્ટ ચેરમેન લા.પ્રાણજીવનભાઈ રંગપરીયા, લા.મણિલાલ કાવર, લા.રશ્મિકાબેન રૂપાલા, લા.નાનજીભાઈ મોરડિયા, લા.મહાદેવભાઈ ચીખલિયા તેમજ લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સભ્યોમાં લા.ધનજીભાઈ નાયકપરા અને લા.મણિભાઈ કાવર દ્વારા નેત્રયજ્ઞ સેવા કેમ્પમાં દાતા તરીકે પોતાનું આર્થિક યોગદાન જાહેર કરતા સર્વે ઊપસ્થિત લોકોએ હર્ષ અને આનંદની લાગણી વ્યક્ત કરેલ સાથે દાતાઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતુ આ પ્રોજેકટને સફળ બનાવવા લાયન્સ અને લિયો કલબ મોરબી સીટીના મિત્રોએ ખૂબ જહેમત ઉઠાવેલ.વિનામૂલ્યે નેત્રયજ્ઞ  કેમ્પનું સંચાલન ખજાનચી ત્રિભોવનભાઈ ફૂલતરિયાએ કર્યું હતું તેમ પ્રમુખે યાદીમાં જણાવેલ છે.






Latest News