મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ


SHARE











મોરબીની સબ જેલમાં રંગોત્સવની ઉજવણી કરાઇ

હોળી હિન્દુ ધર્મના સૌથી મુખ્ય તહેવારોમાંથી એક છે. પૌરાણિક કથા મુજબભક્ત પ્રહલાદની રક્ષા માટે ભગવાન વિષ્ણુએ નરસિંહ અવતાર લઇને જ્યારે હિરણ્યકશીપુનો વધ કર્યો હતો ત્યારથી આ તહેવારને ઊજવવાની પરંપરા ચાલી રહી છે.જેને રંગોનો તહેવાર પણ કહેવામાં આવે છે હોળીનાં બીજા દિવસે ધુળેટી  મનાવાય છે આ દિવસે સવારથી સૌ કોઇ નાના મોટા એકબિજા પર અબિલગુલાલ તેમજ કેસુડાનાં રંગો છાંટી પોતાનો ઉત્સાહ અને આનંદ વ્યક્ત કરે છે આ પાવન પર્વ પર જેલમાં રહેલા અંતેવાસીઓ તેઓના પરિવારથી દુર હોય જેથી માનસિક તણાવ ન ઉદભવે તેમજ ભાઇચારાની ભાવના રહે તે હેતુસર  મોરબી સબ જેલમાં ધુળેટીના તહેવારનુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોરબી સબ જેલના અધિક્ષક ડી.એમ.ગોહેલ, ઇ.ચા.જેલર પી.એમ.ચાવડા સહિતનો સ્ટાફ તેમજ જેલમાં રહેલા અલગ-અલગ ધર્મના તમામ બંદિવાનો દ્રારા રંગોત્સવની ઉજવણી કરવામાં આવી હતી






Latest News