મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE







મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય ધર્મવીરજી શાસ્ત્રીડો. બી.એમ. શર્મા, પ્રો.મનહરભાઈ શુદ્રાદીપેનભાઈ ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકો માટે પ્રેરણાદાયી ઉત્સાહવર્ધક માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ૯૦ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધો. ૧૦ અને ૧૨ (કોમર્સ) માં દરેક પ્રકારે આગળ પડતામહેનતુશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડપ્રમાણપત્ર અને ૫૦૦૧ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ વર્ષે ધો. ૧૦ માં પરમાર સ્નેહા મનીષભાઈ અને ધો. ૧૨ મા ચાવડા ચેતન દીપકભાઈને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પણ સમાજ આપણને આપે છેઆપણે સમાજને આપવું જ જોઈએ" એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે અને ધો. ૫થી ૧૨ (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણપરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને તેવું ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ અને અલ્પેશભાઈ ગાંધીએ જણાવ્યુ છે






Latest News