ભારત વિકાસ પરિષદ-મોરબી દ્વારા રાહતદરે ફૂલસ્કેપ નોટબુક વિતરણ કાર્યક્રમને ઉત્સાહભેર પ્રતિસાદ શ્રી ક્રિષ્ના ચેરિટેબલ એન્ડ એજ્યુકેશન ટ્રસ્ટ મોરબી દ્વારા જીલ્લાની સરકારી શાળાના બાળકોને રાહત દરે ફૂલસ્કેપ ચોપડા વિતરણ ટંકારાના લજાઈ-હડમતીયા રોડ ઉપર ડબલ સવારી બાઈક ટ્રક સાથે અથડાતા બે યુવાનોના મોત વાંકાનેર નજીક કાર ચાલકે બાઇકને હડફેટે લેતા કાકા-3 વર્ષના ભત્રીજાનું મોત: એકને ઇજા મોરબીના થોરાળા અને પંચાસર વચ્ચે ટ્રેકટર અને ઇકો વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક યુવાનનું મોત આદિપુરથી દ્વારકા દર્શને જતાં પરિવારની કારનો માળીયા (મી)ના બરાર ગામના પાટિયા નજીક ટ્રક સાથે અકસ્માત: એક યુવતીનું મોત, 4 ને ઇજા મોરબી: રાજયની દરેક એસ.ટી.વિભાગીય કચેરીએથી ડ્રાઇવર-કંડકટરોની ભરતી પ્રક્રિયા કરવા માંગ માળીયા (મી)ના વીર વિદરકા ગામ પાસેથી દેશી બનાવટની બંદૂક સાથે એક શખ્સ ઝડપાયો
Breaking news
Morbi Today

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા


SHARE











મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા શૈક્ષણિક-બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ વિદ્યાર્થીઓને સન્માનીત કરાયા

મોરબીના નવનિર્માણ ક્લાસીસ દ્વારા વર્ષ ૨૦૧૧-૧૨ થી શરૂ થયેલી પ્રણાલી મુજબ આ વર્ષે પણ પારિતોષિક અને પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આચાર્ય ધર્મવીરજી શાસ્ત્રીડો. બી.એમ. શર્મા, પ્રો.મનહરભાઈ શુદ્રાદીપેનભાઈ ભટ્ટ ઉપસ્થિતિ રહ્યા હતા અને બાળકો માટે પ્રેરણાદાયી ઉત્સાહવર્ધક માર્ગદર્શન આપ્યું હતું સમગ્ર વર્ષ દરમિયાન ક્લાસીસની શૈક્ષણિક પ્રવૃત્તિઓ તેમજ બિન શૈક્ષણિક કાર્યમાં શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર બાળકોને પ્રમાણપત્ર અને શિલ્ડ વિતરણ કરવામાં આવ્યા હતા અને ૯૦ જેટલા બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા જેમાં ક્લાસીસમાં સંપૂર્ણ હાજર રહેનાર બાળકોને પ્રમાણપત્ર-શિલ્ડ તેમજ ધો. ૧૦ અને ૧૨ (કોમર્સ) માં દરેક પ્રકારે આગળ પડતામહેનતુશ્રેષ્ઠ વિદ્યાર્થીઓમાંથી એક સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થીને શિલ્ડપ્રમાણપત્ર અને ૫૦૦૧ નું રોકડ પુરસ્કાર આપવામાં આવ્યું હતું આ વર્ષે ધો. ૧૦ માં પરમાર સ્નેહા મનીષભાઈ અને ધો. ૧૨ મા ચાવડા ચેતન દીપકભાઈને સર્વશ્રેષ્ઠ વિદ્યાર્થી ઘોષિત કરવામાં આવ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, માત્ર આર્થિક ઉપાર્જન જ નહીં પણ સમાજ આપણને આપે છેઆપણે સમાજને આપવું જ જોઈએ" એ ભાવથી આ ક્લાસીસ કાર્ય કરે છે અને ધો. ૫થી ૧૨ (કોમર્સ) ના બાળકોને વ્યક્તિ નિર્માણથી પરિવાર નિર્માણપરિવાર નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ તરફ લઈ જવા માટે નવનિર્માણ ક્લાસીસ પ્રયત્નશીલ છે અને તેવું ક્લાસીસના સંચાલક મયુરભાઈ શુક્લ અને અલ્પેશભાઈ ગાંધીએ જણાવ્યુ છે






Latest News