મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE







મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં પાણીની ટાંકીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર વાળી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ જાતે વાણીયા (૫૮) કોઈ કારણોસર ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા પહેલા સ્મશાનમાં આવેલ ગેસ આધારિત ભઠ્ઠીની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જતા વિજયભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મુનાભાઈ ધીરજભાઈ પારેખ (૫૧) રહે. સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળ્યું છે






Latest News