મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત


SHARE











મોરબીમાં અકસ્માતે સ્મશાનની પાણીની ટાંકીમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત

મોરબીના પંચાસર રોડ ઉપર પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાનમાં પાણીની ટાંકીમાં કોઈપણ કારણોસર ડૂબી જવાના કારણે વૃદ્ધનું મોત નીપજ્યું હતું જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે પીએમમાં લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં માધાપર વાળી સોનાપુરી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચાસર ચોકડી પાસે આવેલ સ્મશાન ખાતે ચોકીદાર તરીકે નોકરી કરતા વિજયભાઈ ધીરજલાલ પારેખ જાતે વાણીયા (૫૮) કોઈ કારણોસર ગઈકાલે સાંજે પોણા છ વાગ્યા પહેલા સ્મશાનમાં આવેલ ગેસ આધારિત ભઠ્ઠીની પાછળના ભાગમાં આવેલ પાણીના ટાંકામાં ડૂબી જતા વિજયભાઈ પારેખનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યારબાદ આ બનાવની મુનાભાઈ ધીરજભાઈ પારેખ (૫૧) રહે. સુમતિનાથ સોસાયટી વાવડી રોડ મોરબી વાળાએ જાણ કરતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરીઓનું જાણવા મળ્યું છે






Latest News