મોરબી જિલ્લા કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે નયનભાઈ અઘારાની વરણી હળવદના સુંદરગઢ નજીકથી દારૂ ભરેલ કાર સાથે એક આરોપી પકડાયો: 4.60 લાખનો મુદામાલ કબ્જે: એકનું શોધખોળ મોરબીના ઘુંટુ ગામેથી યુવાન ગુમ મચ્છુકાંઠા રબારી સમાજનું ગૌરવ: મોરબીના ચાચાપર ગામના સુનિલભાઈ રાઠોડ બન્યા કલાસ-1 અધિકારી મોરબી મહાપાલિકાની બેઠકો માટે ભાજપમાં સેન્સ લેવા આવેલા આગેવાનોને એકપણ માજી સભ્યને ટિકિટ ન આપવા સામાજીક કાર્યકરે કરી રજૂઆત હળવદના સુંદરગઢ અને કડિયાણા વચ્ચે રોંગ સાઈડમાં આવેલા ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને હડફેટે લેતા આધેડને ગંભીર ઇજા મોરબીમાં જૂની અદાવતનું મનદુખ રાખીને યુવાન ઉપર પાંચ શખ્સોનો હુમલો: છરી-ધોકા વડે મારમાર્યો કોર્ટમાં કેસ ચાલે છે તે પાછો ખેંચી લેજે નહિતર જાનથી મારી નાખવો પડશે: હળવદમાં રહેતા આધેડને ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી


SHARE











મોરબીના ઝૂલતા પુલ કેસમાં જયસુખભાઈ પટેલે વચગાળાની જામીન માટે મૂકી અરજી

મોરબીની ઝૂલતા પુલ દુર્ઘટનામાં પોલીસે ૧૦ આરોપીઓને ઝડપીને જેલ હવાલે કરેલ છે અને તે ૧૦ પૈકીનાં અજંતા ઓરેવાના એમડી જયસુખભાઈ પટેલે દ્વારા મોરબી ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાંથી વચ્ચગાળાના જામીન મેળવવા માટે અરજી કરી છે જેની સુનાવણી આગામી તા. ૪ માર્ચના રોજ હાથ ધરશે

મોરબીમાં ગત ૧૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝુલતો પુલ તૂટી પડ્યો હતો અને તેના લીધે ૧૩૫ લોકોમાં મોત થાય હતા જેથી કરીને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો હતો જેના આધારે પોલીસે ગુનો નોંધીને અત્યાર સુધીમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલ સહિત કુલ મળીને ૧૦ આરોપીઓને પકડવામાં આવેલ છે અને તે તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે ત્યારે મોરબીની પુલ દુર્ઘટનામાં પકડાયેલ આરોપીમાંથી ઓરેવા કંપનીના જયસુખભાઈ પટેલ દ્વારા વચ્ચગાળાના જામીન માટે મોરબીની ડિસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટમાં તેના વકીલ મારફતે અરજી મૂકવામાં આવી છે. જેમાં હાઇકોર્ટમાં ચાલી રહેલ રિટ પીટીશન અંતર્ગત જે વળતર ચૂકવવા માટે સૂચના આપવામાં આવી છે તેના બેન્કિંગ કામ માટે તેઓને વચ્ચગાળાના જામીનની અરજી કરેલ છે અને આ અરજીની આગામી સુનાવણી તા. ૪ માર્ચના રોજ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે






Latest News