મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જીલ્લામાં નર્મદા-મચ્છુના પાણીનો વેડફાટ રોકવા મુખ્યમંત્રીને રજૂઆત

દેશના વડાપ્રધાનના જળ સંચય કાર્યક્રમની વાતો વચ્ચે મચ્છુ- ૨ સિંચાઈ તેમજ નર્મદા સિંચાઈ યોજનાની કેનાલોમાં થતો પાણીનો બગાડ અટકાવવામાં આવતો નથી જેથી કરીને હાલમાં મોરબીમાં રહેતા ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવાએ મુખ્યમંત્રી લેખિતમાં રજૂઆત કરેલ છે

ચાલુ રવિ સીઝનમાં નર્મદા યોજનાની કેનાલોમાં તેમજ મચ્છુ-૨ યોજનાની કેનાલમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપવામાં આવી રહ્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા  હમણાં જળસંચય તેમજ જળ વપરાશ બાબતે કાર્યકર્મો આપવામા આવેલ છે. જે અંતર્ગત ગુજરાત સરકાર દ્વારા પણ જળ અભિયાન – ૨૦૨૩ નો કાર્યકમ ચાલુ કરવામાં આવેલ છે. હાલમાં ચાલતા રવિ સીઝનમાં જે કેનાલમાં પાણી આપવામાં આવી રહયું છે. તેમાં ભયંકર રીતે પાણીનો બગાડ થઇ રહ્યો છે. જેમાં નર્મદાની કેનાલોમાં તેમજ મચ્છુ– ૨ સિંચાઈ યોજનાની કેનાલોમાં પાણીનો બગાડ થઇ રહ્યો છે અને વધારાનું પાણી છેક દરિયામાં કે રણ વિસ્તારમાં જઈ રહ્યું છે જે ટીકર પાસેના રણમાં જતું જોવામાં આવી રહ્યું છે.

એક બાજુ વડાપ્રધાન જળ સંચય માટે લોકોને આહવાન કરે છે. ત્યારે બીજી બાજુ સરકારી તંત્ર દ્વારા ભયકર બે દરકારી રાખીને પાણીનો બગાડ થઇ રહ્યો છે મોરબીની મચ્છુ – ૨ કેનાલનો કમાન્ડ વિસ્તાર વધારવા અને કેનાલને લંબાવવા તેમજ મચ્છુ– ૩ ની કેનાલો ચાલુ કરવા અને તેને લંબાવવા તેમજ ડેમી– ૩ ની કેનાલો ચાલુ કરવા તથા તેનો કમાંડ વધારવા માટે ખેડૂતો દ્વારા  વારંવાર  રજુઆતો થતી આવી છે. મોરબી માળિયા વિસ્તારના બાવન ગામોની કેનાલ લંબાવવાની માંગણીનો સરકાર કઈ વિચાર પણ કરતી હોય તેવું લાગતું  નથી તો બીજી તરફ મચ્છુ– ૨ ની કેનાલમાં જેટલું પાણી ખેડૂતો દ્વારા સિંચાઈ માટે લેવામાં આવે છે. તેનાથી ત્રણથી  ચાર ગણા પાણીનો વેડફાટ થઇ રહ્યો છે.

હાલમાં આ પાણી વોકળાઓ, વહેણો, મારફત છેક મોટા દહીસરના તળાવ  સુધી પહોચેલ છે, અને રસ્તામાં આવતા ગામોના તળાવો પણ ભરાઈ જવા પામેલ છે. જો સરકાર પાસે એટલું બધું પાણી છે તો શા માટે? કેનાલ ને લંબાવી ને ખેડૂતોને પાણી આપવા માટે વિચારવામાં આવતું નથી. શા માટે ? આવો બગાડ થવા દેવામાં આવે છે. ? તેવી જ રીતે નર્મદા કેનાલ ના  કમાન્ડ વિસ્તાર ના ઘણા ગામોમાં  કેનાલો તેમજ વોટર કોર્ષ ન થવાના કારણે સિંચાઈના પાણીના લાભથી વંચિત છે. જયારે પાણીનો બગાડ થતા પાણી રણ વિસ્તારમાં પહોચવા પામેલ છે. તો એક બાજુ જ સંચયની વાત અને કે બાજુ પાણી નો બગાડ આવી નીતિ શા માટે? જેથી કરીને મચ્છુ- ૨, મચ્છુ-૩, ડેમી -૩ ની કેનાલો લંબાવીને  નીચે આવતા ગામોને સિંચાઈનો લાભ આપવા યોગ્ય કરવામાં આવે તેવી માંગ કરી છે






Latest News