મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા


SHARE







મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ બેલા ગામ પાસે ઓટો રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાન તથા તેના બે બાળકો એમ ત્રણને સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક ઓટો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં રફાળેશ્વર ગામના રહેવાસી કિશોરભાઈ મોતીભાઈ સોલંકી (૩૮) તેમનો પુત્ર વિરાજ કિશોરભાઈ (ઉંમર ૧) અને તેમની પુત્રી કિસુબેન કિશોરભાઈ (ઉંમર ૨) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાકેશ દેવજીભાઈ સાગઠીયા નામનો ૩૫ વર્ષનો યુવાન વધુ પડતી ભાંગ પી જતા તેને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડાયો હતો.

બાઈક સાથે બાઈક અથડાતા બેને ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના રહેવાસી રાઠોડ ચંદ્રસિંહ જયમલસિંહ (૬૫) અને રાઠોડ અંકિતા દિલીપભાઈ (૧૬) ને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા પોલીસમાં જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઉપરોક્ત બંને બાઈક લઈને મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ લાભનગર પાસેથી જતા હતા ત્યારે તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા ઈજાઓ થતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતો વિષ્ણુ બહાદુરભાઇ ગોસાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી શેરી નંબર-૩ માં રહેતા નરેન્દ્રભાઈ માધવજીભાઈ ધરોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ પોતાની શેરી પાસેથી બાઈક લઈને નીકળ્યા હતા તે દરમિયાન તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા પડી જવાથી ઇજાઓ પામતા નરેન્દ્રભાઈ ધરોડીયાને સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News