મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા


SHARE











મોરબીના જેતપર રોડ બેલા પાસે રીક્ષા પલ્ટી જતા યુવાન અને તેના બે બાળકોને ઇજા

મોરબીના જેતપર પીપળી રોડ પર આવેલ બેલા ગામ પાસે ઓટો રીક્ષા પલ્ટી મારી જવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં ઇજાઓ થતા યુવાન તથા તેના બે બાળકો એમ ત્રણને સારવારમાં ખસેડાયા હતા અને તાલુકા પોલીસ દ્વારા આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ બેલા ગામ પાસેના પેટ્રોલ પંપ નજીક ઓટો રીક્ષા પલ્ટી મારી ગઈ હતી જે બનાવમાં રફાળેશ્વર ગામના રહેવાસી કિશોરભાઈ મોતીભાઈ સોલંકી (૩૮) તેમનો પુત્ર વિરાજ કિશોરભાઈ (ઉંમર ૧) અને તેમની પુત્રી કિસુબેન કિશોરભાઈ (ઉંમર ૨) ને ઇજાઓ પહોંચતા ત્રણેયને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે તાલુકા પોલીસ દ્વારા નોંધ કરીને આ અંગે આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.જ્યારે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ સિદ્ધાર્થ સોસાયટીમાં રહેતો રાકેશ દેવજીભાઈ સાગઠીયા નામનો ૩૫ વર્ષનો યુવાન વધુ પડતી ભાંગ પી જતા તેને સારવાર માટે શિવમ હોસ્પિટલ ખસેડાયો હતો.

બાઈક સાથે બાઈક અથડાતા બેને ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર આવેલ ટીંબડી ગામના રહેવાસી રાઠોડ ચંદ્રસિંહ જયમલસિંહ (૬૫) અને રાઠોડ અંકિતા દિલીપભાઈ (૧૬) ને ઇજાઓ પહોંચતા બંનેને સારવાર માટે ખસેડાયા હતા પોલીસમાં જાણ થતા બી ડિવિઝન પોલીસે તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ઉપરોક્ત બંને બાઈક લઈને મોરબીના સામાકાંઠે વેજીટેબલ રોડ લાભનગર પાસેથી જતા હતા ત્યારે તેમના બાઈક સાથે અન્ય બાઇક અથડાતા ઈજાઓ થતા બંનેને સારવારમાં ખસેડાયા હતા.જ્યારે મોરબીના નવલખી રોડ ઉપર આવેલા યમુનાનગર વિસ્તારમાં રહેતો વિષ્ણુ બહાદુરભાઇ ગોસાઈ નામનો ૧૯ વર્ષનો યુવાન કોઈ અજાણી દવા પી ગયો હતો જેથી કરીને તેને સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.

આધેડ સારવારમાં

મોરબીના સામાકાંઠે સોઓરડી શેરી નંબર-૩ માં રહેતા નરેન્દ્રભાઈ માધવજીભાઈ ધરોડીયા નામના ૫૪ વર્ષીય આધેડ પોતાની શેરી પાસેથી બાઈક લઈને નીકળ્યા હતા તે દરમિયાન તેઓનું બાઈક ત્યાં સ્લીપ થઈ જતા પડી જવાથી ઇજાઓ પામતા નરેન્દ્રભાઈ ધરોડીયાને સારવાર માટે ખસેડાયા હતા બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના પ્રફુલભાઈ પરમાર દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News