મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી


SHARE











મોરબીના ઝુલતા પુલ કેસમાં પકડાયેલ જયસુખભાઇ પટેલના ચાર્જશીટની જોવાતી રાહ: ૯ મીએ સુનાવણી

મોરબીમાં ઝુલતો પુલ તુટી પડ્યો હતો તે દુર્ઘટના મુદ્દે નોંધાયેલ ગુનામાં જયસુખભાઇ પટેલની ધરપકડ કરીને તેને જેલ હવાલે કરવામાં આવેલ છે અને ગઇકાલે આ કેસ મોરબીની સેશન્સ કોર્ટમાં ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે ચલાવવામાં આવ્યો હતો જેમાં આગામી ૯ મી તારીખે વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે અને છેલ્લે જયસુખભાઇ પટેલને પકડવામાં આવેલ છે તેનું ચાર્જશીટ મૂકવામાં આવે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તેના ઉપર સહુ કોઇની નજર મંડાયેલ છે

મોરબીમાં ગત તા ૩૦/૧૦/૨૦૨૨ ના રોજ ઝૂલતો પુલ તુટી પડ્યો હતો અને આ જુલતા પુલની જવાબદારી મોરબીના ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી જેથી કરીને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુલતા પુલનું મેનેજમેન્ટ અને મેન્ટેનન્સ કરનાર એજન્સી સામે ગુનો નોંધવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે તે સમયે અગાઉ નવ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યાર બાદ છેલ્લે પોલીસ દ્વારા ઓરેવા ગ્રુપના જયસુખભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી હતી અને આ તમામ આરોપીઓ હાલમાં મોરબીની સબ જેલમાં છે બીજી બાજુ મોરબીની સેશન્સ કોર્ટમાં ગઇકાલે ડોક્યુમેન્ટરી એવિડન્સ માટે કેસ ચલાવવામાં આવ્યો હતો ત્યારે સરકારી વકીલ દ્વારા જરૂરી ડોક્યુમેન્ટરી એવિડન્સ રજૂ કરવામાં આવ્યા હતા ત્યાર બાદ આ કેસમાં ભોગ બનેલા ૨૪ પરિવારના વકીલ તરીકે રોકાયેલા નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યુ છે કે, હાલમાં આ કેસમાં ચાર્જશીટ મુકાઇ ગયું છે જો કે, જયસુખભાઇ પટેલની ધરપકડ કરવામાં આવી ત્યાર બાદ તેના રિમાન્ડ પણ લેવામાં આવ્યા હતા અને તેનું જે પુરવણી ચાર્જશીટ રજૂ કરવામાં આવશે તેમાં બીજા કોઈ આરોપીના નામ સામે આવે છે કે કેમ તે જોવાનું છે અને જે કોઈના નામ આવે તેની સામે કાયદેસરની લડત આપવા માટેની તૈયારી કરવામાં આવશે






Latest News