મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો
Breaking news
Morbi Today

મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ


SHARE











મોરબીમાં ચરિત્રની શંકા કરીને પત્નીને ત્રાસ આપતા પતિ સામે ફરિયાદ નોંધાઇ

મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી મહિલાના ચરિત્ર્ય ઉપર શંકા કરીને શારીરિક માનસિક ત્રાસ તેના પતિ દ્વારા આપવામાં આવતો હતો અને નાની નાની બાબતે મેણા ટોણા મારીને ઢીકા પાટુનો માર મારવામાં આવતો હતો તેમજ ગાળો આપવામાં આવતી હતી જેથી કરીને હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત મુજબ મોરબીના રવાપર રોડ ઉપર આવેલ કાલિકા પ્લોટ શેરી નંબર 5 માં રહેતી અનિષાબેન હનીફભાઈ અઘામ જાતે મુસ્લિમ (ઉંમર વર્ષ 32) એ હાલમાં તેના પતિ હનીફભાઈ કાસમભાઈ અઘામની સામે મોરબીના મહિલા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે તેના પતિ દ્વારા ઘરકામ બાબતે અવારનવાર માર મારીને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો તેમજ નાની નાની વાતમાં તેને ઢીકાપાટુનો માર મારીને ગાળો આપવામાં આવતી હતી અને ચરિત્ર્યની શંકા વહેમ કરીને શારીરિક માનસિક દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો જેથી કરીને ભોગ બનેલ પરિણીતા દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News