મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











માળીયા મીંયાણાના જુના ઘાંટીલા ગામ પાસે નર્મદાની કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા વચ્ચે આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાના કારણે તેનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું જેથી તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા ની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના જુના ઘાટીલા ગામે શક્તિ પ્લોટમાં રહેતો સંજયભાઈ રામજીભાઈ અગેચાણીયા જાતે કોળી (ઉમર 32) નામનો યુવાન જુના ઘાટીલા ગામથી મંદરકી ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતી નર્મદાની કેનાલમાં કોઈ કારણોસર પડી ગયો હતો જેથી કરીને નર્મદાની કેનાલમાં વહેતા પાણીમાં ડૂબી જવાથી તેનો ઘટના સ્થળે મોત નિપજ્યુ હતું અને તેના મૃતદેહને કેનાલના પાણીમાંથી બહાર કાઢીને પીએમ માટે માળિયા મીયાણાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની માળિયા મીયાણા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News