મોરબીમાં મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક નિમિતે ભવ્ય શોભાયાત્રા યોજાઇ માળીયા (મી)ના મોટા દહિસરા ગામે યુવાનની હત્યાનો પ્રયાસ કરનારા આરોપીના ઘરમાંથી એક પિસ્તોલ-નવ જીવતા કાર્ટિઝ ઝડપાયા, વધુ એક ગુનો નોંધાયો મોરબીના ખેવારીયા ગામે વાડીએ ઇલેક્ટ્રીક શોટ લાગતા 16 વર્ષના બાળકનું મોત મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ
Breaking news
Morbi Today

માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ


SHARE











માળિયા (મી)ની ભીમાસર ચોકડીએ મિનિ બસ પલટી જતાં ૧૪ લોકોને ઇજા: કોઈ જાનહાનિ નહિ

મોરબી જીલ્લામાં માળીયા નજીક થોડા દિવસો પહેલા જાકળના લીધે એકી સાથે ૩૦ જેટલા વાહનોનો અકસ્માત થયો હતો ત્યાર બાદ આજે સવારે માળિયા મિયાણા નજીક આવેલ ભીમાસર ચોકડી પાસેથી મિનિ બસ જતી હતી ત્યારે કોઈ કારણોસર તે મિનિ બસ પલટી મારી ગઈ હતી જેથી કરીને આ મીઓની બસમાં બેઠેલા ડ્રાઈવર અને મુસાફરોમાંથી કુલ મળીને ૧૪ જેટલા લોકોની ઇજા થયેલ હતી જેથી કરીને આ બનવાની તાત્કાલિક ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી જેથી કરીને મીની બસ પલટી મારી હતી ત્યાર ૧૦૮ ની ત્રણ ટિમ પહોચી ગયેલ હતી અને એક હાઈવેની એમ્બુલન્સ ત્યા આવી હતી આમ કુલ મળીને ચાર એમ્બ્યુલન્સમાં ઈજાગ્રસ્તોને પ્રથમ સારવાર માટે માળિયા સામુહિક આરોય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ તેમાંથી બે મુસાફરોને મોરબીની આયુષ હોસ્પીટલમાં સારવાર માટે લઈને આવ્યા છે.

વધુમાં હોસ્પિટલ ખાતે એકતત્રિત થયેલા લોકો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટના ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના પ્રેમ પારસ મહિલા મંડળના ૨૫ મહિલાઓનું ગ્રુપ સવારે રાજકોટથી ટેમ્પો ટ્રાવેલર્સમાં કચ્છના ભચાઉ પાસે આવેલા નમસ્કાર તીર્થ સ્થળે દર્શન કરવા જતું હતું ત્યારે સવારે સાતેક વાગ્યે ટેમ્પો ટ્રાવેલર્સના ડ્રાઈવરને જોકુ aavi જતા માળિયાના ભીમસર ચોકડી નજીક બસ પલ્ટી મારી ગઈ હતી અને તેમાં સવાર ૧૪ જેટલી મહિલાઓને ઇજાઓ પહોંચતા મહિલાઓને સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.જેમાં રાજકોટના ચેતનાબેન શેઠ, કલ્પનાબેન કાથરાણી, પ્રફુલાબેન પારેખ, જ્યોતિબેન નૈલેશભાઈ, નીતાબેન ચમનભાઈ મહેતા, નીલાબેન હેરન્દ્રભાઈ મેઘાણી, જોલીબેન તરુણભાઇ દામાણી અને વર્ષાબેન નિલેશભાઈ બાટવીયાને વધુ ઈજાઓ પહોંચતા મોરબી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા






Latest News