મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા સહિત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સામાજિક સમાનતા ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ


SHARE











મોરબી જિલ્લા સહિત રાજ્યમાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ સામાજિક સમાનતા ઉત્થાન માટે સતત પ્રયત્નશીલ

ભારત એ એકતા માં વિવિધતા ધરાવતો દેશ છે. આપણે ત્યાં સામાજિક એકતા જળવાઈ રહે તે હેતુથી વિવિધ કાર્યક્રમો અને આયોજન કરવામાં આવે છે. વિશ્વ સ્તરે પણ સામાજિક ન્યાયનિરક્ષતાધાર્મિક અને શારીરિક ભેદભાવગરીબી અને વંશવાદ વગેરે જેવા અનેક સામાજિક પ્રશ્નો નાબુદ કરવાના હેતુથી દર વર્ષે ૨૦ ફેબ્રુઆરીના રોજ વિશ્વ સામાજિક ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવે છે.

રાજ્ય સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા સામાજિકશૈક્ષણિક કે આર્થિક રીતે પછાત વર્ગના લોકોને સામાન્ય પ્રવાહમાં લઈ આવવા માટે તેમના ઉત્થાનઉત્કર્ષ અને વિકાસ માટે વિવિધ આયોજનો અને યોજનાઓ ચલાવવામાં આવે છે. અનેક જનકલ્યાણની યોજનાઓ દ્વારા આવા લાખો લોકોની પડખે સરકાર હર હંમેશ ઉભી છે. ગુજરાત સરકારના ન્યાય અધિકારીતા વિભાગ અન્વયે વિવિધ યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે. મોરબીમાં સમાજ સુરક્ષા વિભાગ અને બાળ સુરક્ષા વિભાગ દ્વારા જરૂરિયાતમંદ લોકોના સામાજિક ઉત્કર્ષ માટે વિવિધ યોજનાઓનું અમલીકરણ કરી લોક હિતના પ્રયાસો કરવામાં આવે છે.

જિલ્લાના સમાજ કલ્યાણ વિભાગ અંતર્ગત વર્ષ-૨૦૨૨-૨૩ દિવ્યાંગ રાહત અને રોજગારલક્ષી ૧૮૨ સાધન સહાય મંજુર કરવામાં આવી છે. જિલ્લામાં કુલ ૫ હજારથી વધુ દિવ્યાંગો મફત મુસાફરી પાસનો લાભ મેળવી રહ્યાં છે. ૨૫૫ લાભાર્થીઓ સંત સુરદાસ યોજનાનોતો ૨૯૩ લાભાર્થીઓ ઈન્દિરા ગાંધી નેશનલ ડિસેબીલીટી પેન્શન યોજનાથી લાભાન્વિત થઈ રહ્યા છે. બૌદ્ધિક અસમર્થતા આર્થિક સહાય હેઠળ ૫૦ લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. ૩૭૨ નિરામયા હેલ્થ કાર્ડ ઈસ્યુ કરી સરકારે આવા જરૂરીયાતમંદ લોકોના આરોગ્યની ચિંતા કરી છે. દિવ્યાંગ શિષ્યવૃતિ હેઠળ ૬૦ લોકોને ૮૦ હજારથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે. ઉપરાંત વર્ષ દરમિયાન દિવ્યાંગ લગ્ન સહાયમાં ૨૩ લાભાર્થીઓને ૧૧ લાખથી વધુની સહાય અર્પણ કરવામાં આવી છે.

જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ ૧૫ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના(અનાથ)૩૭૮ બાળકો મુખ્યમંત્રી બાળ સેવા યોજના (એકવાલી) તથા ૩૦૬ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ મેળવી રહ્યા છે. કેન્દ્ર સરકારની સ્પોન્સરશીપ યોજના ૬ બાળકો માટેરાજ્ય સરકારની સ્પોન્સરશીપ યોજના ૨૮ બાળકો માટે તથા પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના ૬ બાળકો માટે અને ચિલ્ડ્રન ઈન સ્ટ્રીટ સિચ્યુએશન યોજના ૩૧ બાળકો માટે છત્રછાયા બની છે. ઉપરાંત જિલ્લા બાળ સુરક્ષા એકમ હેઠળ ૩ બાળ સંભાળ સંસ્થા પણ જિલ્લામાં કાર્યરત છે. જ્યાં કાળજી અને રક્ષણ વાળા બાળકોને આશ્રય આપી તેમની સારસંભાળ રાખવામાં આવે છે






Latest News