ભગવાન મારી સાથે છે અને મારું સારું જ થશે: મોરબીમાં આપઘાત અટકાવવા માટે બીએપીએસ સ્વામિનારાયણ મંદિર દ્વારા નવતર પ્રયોગ અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE





મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ તેના ઘેર અગમ્ય કારણોસર મોતની સોડ તાણી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પોલીસને જાણ થતા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે ઘણા સમયથી રહેતી માનસિક બીમારીથી કંટાળી જઈને પરણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હોય તેણીનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રાઘવેન્દ્રસિંહ યાદવ નામના યુવાનની ૨૮ વર્ષીય પત્ની અનિતાબેને ગઈકાલના તેમના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ નામની ૨૮ વર્ષીય પરિણીતાનું મોત નીપજતા તેના મૃતદેહને તેના પતિ રાઘવેન્દ્રસિંહ યાદવ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને ત્યાંથી બનાવની તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અનિતાબેનને માનસિક બીમારી રહેતી હોય અને ઘણી દવા કર્યા છતાં ફેર પડતો ન હોય તેથી માનસીક બીમારીથી કંટાળી જઈને અનિતાબેન યાદવે ઉપરોક્ત પગલું ભરી લેતા તેમના બે સંતાનોએ માતાની મમતાનો પાનવ ગુમાવ્યો હતો.

ફિનાઈલ પી જતા સારવારમાં

માળીયા મિંયાણાના રહેવાસી શબ્બીરભાઈ હારૂનભાઈ કટિયા નામનો ૨૨ વર્ષનો યુવાન ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર નરેન્દ્રકુમાર રાઘવ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો તે સમયે મોરબીની વીશી હાઈસ્કૂલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મનસુખભાઈ દેવીપુજક નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા પહોંચતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો તે જ્યારે લાયન્સનગર વિસ્તારમાંથી શનાળા રોડ ઉપર ચડતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક અન્ય વાહન સાથે અથડાતા તેને ઇજાઓ પહોંચેલી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.




Latest News