હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત


SHARE











મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને પરણીતાએ અંતિમ પગલું ભરી લેતા મોત

મોરબી વાંકાનેર હાઇવે ઉપર આવેલ નવા જાંબુડીયા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતાએ તેના ઘેર અગમ્ય કારણોસર મોતની સોડ તાણી લીધી હતી જેથી કરીને તેણીનું મોત નીપજતા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો હતો અને પોલીસને જાણ થતા પોલીસે કરેલી પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે ઘણા સમયથી રહેતી માનસિક બીમારીથી કંટાળી જઈને પરણીતાએ ગળેફાંસો ખાઈ લીધો હોય તેણીનું મોત નીપજેલ છે.

મોરબી તાલુકા પોલીસના જણાવ્યા પ્રમાણે મોરબીના નવા જાંબુડીયા ગામે રહેતા અને મૂળ ઉત્તરપ્રદેશના રાઘવેન્દ્રસિંહ યાદવ નામના યુવાનની ૨૮ વર્ષીય પત્ની અનિતાબેને ગઈકાલના તેમના ઘેર ગળેફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને અનિતાબેન રાઘવેન્દ્રસિંહ યાદવ નામની ૨૮ વર્ષીય પરિણીતાનું મોત નીપજતા તેના મૃતદેહને તેના પતિ રાઘવેન્દ્રસિંહ યાદવ સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને ત્યાંથી બનાવની તાલુકા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.એમ.જાપડીયા દ્વારા તપાસ કરવામાં આવી હતી.તેઓએ કરેલી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, છેલ્લા ઘણા સમયથી અનિતાબેનને માનસિક બીમારી રહેતી હોય અને ઘણી દવા કર્યા છતાં ફેર પડતો ન હોય તેથી માનસીક બીમારીથી કંટાળી જઈને અનિતાબેન યાદવે ઉપરોક્ત પગલું ભરી લેતા તેમના બે સંતાનોએ માતાની મમતાનો પાનવ ગુમાવ્યો હતો.

ફિનાઈલ પી જતા સારવારમાં

માળીયા મિંયાણાના રહેવાસી શબ્બીરભાઈ હારૂનભાઈ કટિયા નામનો ૨૨ વર્ષનો યુવાન ફિનાઇલ પી ગયો હતો જેથી તેને સારવાર માટે અત્રેની સિવિલ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો પોલીસને જાણ થતા એ ડિવિઝન પોલીસે પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે માળિયા પોલીસને જાણ કરી હતી.જ્યારે મોરબીના સામાકાંઠે લાલબાગ વિસ્તારમાં રહેતા રાજેન્દ્રકુમાર નરેન્દ્રકુમાર રાઘવ નામનો ૩૦ વર્ષનો યુવાન બાઇક લઈને જતો હતો તે સમયે મોરબીની વીશી હાઈસ્કૂલ પાસે તેનું બાઈક સ્લીપ થઈ જતા તેને અત્રેની ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ લાયન્સનગર વિસ્તારમાં રહેતા નવઘણભાઈ મનસુખભાઈ દેવીપુજક નામના ૨૪ વર્ષના યુવાનને ઇજા પહોંચતા તેને સારવારમાં સિવિલે ખસેડાયો હતો તે જ્યારે લાયન્સનગર વિસ્તારમાંથી શનાળા રોડ ઉપર ચડતો હતો ત્યારે રસ્તામાં તેનું બાઈક અન્ય વાહન સાથે અથડાતા તેને ઇજાઓ પહોંચેલી હોય તેને અહીંની સિવિલ હોસ્પિટલે સારવાર માટે લવાયો હતો.






Latest News