તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન


SHARE











વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ૬ બેઠકો બિનહરીફ, ૬ માટે ૨૨ મીએ મતદાન

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સહકારી સંઘ લિ. ની ચૂંટણી માટે ગુરૂવારે ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લો દિવસ હતો ત્યારે તમામ બેઠકો ઉપર ઉમેદવારોની યાદી તૈયાર કરવામાં આવી છે જેમાં સંઘની કુલ ૧૨ બેઠકોમાંથી ૬ બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે અને છ બેઠકો ઉપર બે-બે ઉમેદવારોએ ફોર્મ રજૂ કર્યા છે જેથી કરીને આ ૬ બેઠક માટે આગામી ૨૨ મી ફેબ્રુઆરીએ મતદાન તથા મતગણતરી કરવામાં આવશે

વાંકાનેર તાલુકા ખરીદ વેચાણ સંઘની ચૂંટણીમાં જે ૬ બેઠક બિનહરીફ થયેલ છે તે બેઠકોમાં વાંકીયામાં ઘોઘુભા જામભા ઝાલા, ઢુવામાં વલીમામદ અલાવદી શેરસીયા, ચંદ્રપુરમાં પરાસરા અમીયલ હાજી, કેરાળામાં માથકીયા માહમદ આહમદ, કોઠારીયામાં ઝાલા નરેન્દ્રસિંહ મંગળસિંહ અને ગારીડામાં બાદી અલીભાઇ મામદનુરાનો સમાવેશ થાય છે અને જે બેઠકમાં ચુંટણી થવાની છે તેમાં માટેલ બેઠક ઉપર કાંકરેચા કાળુભાઇ મેરૂભાઇ અને કોબીયા દેવાભાઇ છગનભાઇ, લુણસર બેઠક ઉપર જયેશ છગનભાઇ વસીયાણી અને ઝાલા રાજેન્દ્રસિંહ મંગળસિંહ, સિંધાવદર બેઠક ઉપર બાદી રહીમ જીવા અને ઇસ્માઇલ મામદ પરાસરા, વાલાસણ બેઠક ઉપર મહેબુબભાઇ આહમદભાઇ પટેલ (કડીવાર) અને ઇસ્માઇલ ફતેમામદ કડીવાર, જાલસીકા બેઠક ઉપર કૃષ્ણસિંહ ચંપકસિંહ ઝાલા અને પરાસરા નુરમામદ અમીભાઇ તેમજ મેસરીયા બેઠક ઉપર પોલાભાઈ હિરાભાઇ પરમાર અને નવઘણભાઇ દેવશીભાઇ મેઘાણી આમને સામને છે તેના માટે ૨૨ મીએ ચૂંટણીનું મતદાન કરવામાં આવશે






Latest News