તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાં મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણોની ચોરી


SHARE











મોરબીના મહેન્દ્રપરામાં મંદિરમાંથી સોના-ચાંદીના આભૂષણોની ચોરી

મોરબીના મહેન્દ્રપરા વિસ્તારમાં આવેલ માતાજીના મંદિરમાંથી સોના ચાંદીના આભૂષણોની ચોરી કરવામાં આવી છે જેથી કરીને તે બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને હાલમાં આરોપીની ધરપકડ કરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૨ માં આવેલ મહાકાળી માતાજીના મંદિરને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને મંદિરના દરવાજાને તાળા તોડીને મંદિરમાં માતાજીની મૂર્તિ ઉપર ચડાવવામાં આવેલ સોનાના ત્રણ છતર જેની કિંમત ૧.૩૨ લાખ અને ચાંદીના નાના આઠ છતર જેની કિંમત ૮૦૦૦ રૂપિયા આમ કુલ મળીને ૧.૪૦ લાખ ની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવી હતી જેથી કરીને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સરદારબાગની પાછળના ભાગમાં શિવમ હાઈટ્સ બ્લોક નં-૫ માં રહેતા દિનેશભાઈ મોતીલાલ ભોજાણી જાતે લોહાણા (૭૦) એ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેના આધારે એ ડિવિઝન પોલીસની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી અને હાલમાં ચોરીના આ ગુનામાં પોલીસે આરોપી દિનેશભાઈ પુંજાભાઈ ટુંડિયાની ધરપકડ કરેલ છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે

યુવાનનું મોત

મોરબી નજીકના સોમાણી સીરામીકના લેબર કવાર્ટરમાં રહેતો અને ત્યાં મજૂરી કામ કરતો કિશોરભાઈ કાલુરામ સોરટી (૪૫) નામનો યુવાન લેબર ક્વાર્ટર પાસે ચક્કર ખાઈને પડી ગયો હતો જેથી કરીને બેભાન હાલતમાં તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો જેથી કરીને આ અંગેની પોલીસે નોંધ કરીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News