હળવદના ચરાડવા ગામે કેનાલમાં ડૂબી જવાથી યુવાનનું મોત: મોરબીના ઘૂટું ગામે કૂવામાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત મોરબી સુરજબાગમાં બાલ ભવન બનાવવા ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશનના પ્રમુખની માંગ મોરબીમાં જલારામ ધામ ખાતે સ્વ.રમણીકભાઈ પોપટ અને પોપટ પરિવારના સહયોગથી નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે મોરબીમાં દત્તક લીધેલી વિદ્યાર્થિનીને મુસ્કાન વેલફેર સોસાયટીનો સતત સહયોગ મોરબીમાં રાજપૂત સમાજ ભવન માટે જમીન આપવા બદલ રાજવી પરિવારના મહારાજા કુમારીઓનું ટ્રસ્ટીઓ દ્વારા સન્માન કરીને આભાર વ્યક્ત કરાયો મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબના પ્રમુખ પદે સતત બીજા વર્ષે ડો. સુષ્માબેન દુધરેજીયાની  નિમણુક ભયંકર પરિસ્થિતિના એંધાણ: મોરબીના સિરામિક વોલ ટાઇલ્સના કારખાના 1 મે સુધી બંધ, ઉદ્યોગકારોનો સામૂહિક નિર્ણય, પાર્કિંગ પોર્સોલિન અને ડબલ ચાર્જ ટાઇલ્સમાં પણ બંધ લંબાવશે મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન
Breaking news
Morbi Today

મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે


SHARE











મોરબીના સીનીયર સીટીઝન કાઉન્સિલ દ્વારા કાલે વડાપ્રધાનના માતૃશ્રી હીરાબાની શોકસભા યોજાશે

શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું ૧૦૦ વર્ષની જૈફ વયે અવસાન થયું હતું જેથી કરીને મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્વારા આવતીકાલ તા. ૧ ને રવિવારના રોજ મોરબીમાં શોકસભાનું આયોજન કરવામાં આવેલ છે

આ અંગે મોરબી સિનિયર સિટીઝન કાઉન્સિલના પ્રમુખ ડો. બી.કે. લેહરૂ તેમજ મંત્રી મહેશભાઈ ભટ્ટના જણાવ્યા પ્રમાણે થોડા સમય પહેલા સંસ્થાના પૂર્વ પ્રમુખ પ્રવીણભાઈ મહેતાનું પણ નિધન થયેલું હોય તેમજ શુક્રવારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રી હીરાબાનું નિધન થયું હોય તે નીમિત્તે કાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ વાગ્યે સંસ્થાના કાયાજી પ્લોટ ખાતે આવેલ ધન્વંતરિ ભવન ખાતે શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં બંનેને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાશે તેમજ સિનિયર સિટીઝન સંસ્થા દ્વારા જે અન્ય કાર્યક્રમો યોજવાના છે તે પણ યથાવત રાખવામાં આવ્યા હોવાનું હોદેદારોએ જણાવ્યુ છે

જાદુગરનો શો

સિનિયર સિટીઝન કાઉન્સીલના પ્રમુખ ડો. બી.કે. લહેરૂના જણાવ્યા પ્રમાણે આવતીકાલ તા. ૧ ને રવિવારના બપોરના ત્રણ થી છ વાગ્યા દરમિયાન જાદુગરના શો નું આયોજન કરવામાં આવેલું છે અને કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ભોજન કાર્યક્રમ રાખવામાં આવેલ હોય સંસ્થાના સર્વ સભ્યોને જાહેર આમંત્રણ આપવામાં આવેલું છે સંસ્થાના કાયાજી પ્લોટમાં આવેલ ધન્વંતરિ ભવન ખાતે બપોરના ત્રણથી છ દરમ્યાન જાદુગર શો નું આયોજન કરવામાં આવેલું હોય જેનો લાભ લેવા અને ભોજન સમારોહમાં જોડાવા માટે સંસ્થા દ્વારા આમંત્રણ આપવામાં આવેલું છે

ઉકાળા વિતરણ

મોરબીના સ્વ. બળવંતભાઈ પંડ્યાના સ્મરણ અર્થે વાઘપરા મેઇન રોડ સવાનીયા હનુમાનજી મંદિર પાસે દરરોજ સવારના ૬:૩૦ થી ૮:૩૦ દરમ્યાનમાં ઉકાળા કેન્દ્ર શરૂ કરવામાં આવેલું છે જે શરદી, કફ તેમજ ઋતુજ્ન્ય બીમારીઓ માટે આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરેલું છે તેમજ લહેરૂ એજ્યુકેશન ટ્રસ્ટ તરફથી ડો. બી.કે. લહેરૂનું દવાખાનુ સનાળા રોડ દાતાત્રેય મંદિર પાસે અને નવા બસ સ્ટેન્ડની સામે આવેલ બાપાસીતારામ મઢુલી ખાતે તા. ૫/૧ સુધી આ ઉકાળા કેન્દ્રનું આયોજન કરવામાં આવેલ છે જેનો પણ લાભ લેવા માટે મોરબીના લોકોને સંસથા દ્વારા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.






Latest News