મોરબીમાં પૂર્વ મંત્રી આઈ.કે.જાડેજાની હાજરીમાં મહાપાલિકાના ઉમેદવારોએ જનસેવાનો સંકલ્પ લઈને કર્યા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ વાંકાનેરની વિદ્યાર્થીનીઓએ ઈન્ટર નેશનલ કોંફરન્સમાં ગુજરાતનું ગૌરવ વધાર્યું મોરબીમાં સાસુ સાથે રકઝક થતાં ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે અભયમની ટીમે કરાવ્યુ મિલન મોરબીમાં ગાંજાના ગુનામાં પકડાયેલ આરોપી જામીન મુક્ત વાંકાનેર નજીક પોલીસના બાઇકને ઉડાવીને દારૂ ભરેલ ક્રેટા લઈ લઈને નાસી ગયેલ શખ્સ ધોળા દિવસે રાણેકપર ગામે વાહનમાંથી 1814 બોટલ દારૂ-61 બિયરના ટીન રેઢા મૂકીને ફરાર ! વાંકાનેરમાં ઘરમાંથી 935 ગ્રામ ગાંજાના જથ્થા સાથે આરોપીની ધરપકડ વાંકાનેરમાં મોબાઈલની દુકાનમાં ટી-20 ક્રિકેટ મેચ ઉપર જુગાર રમતા એક પકડાયો, એકની શોધખોળ મોરબીમાં મોબાઈલથી વરલીના આંકડા લેતા એક પકડાયો, એકની શોધખોળ: ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં કિશાન દિન નિમિત્તે બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ


SHARE













મોરબીમાં કિશાન દિન નિમિત્તે બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર યોજાઈ

શિબિરમાં ખેડુતોને વિવિધ બાગાયતલક્ષી યોજનાઓ અને પ્રાકૃતિક ખેતી-પાક વ્યવસ્થાપન વગેરે અંગે તજજ્ઞો દ્વારા  માર્ગદર્શન અપાયું

તારીખ ૨૩-૧૨-૨૦૨૨ ના કિશાન દિન નિમિત્તે આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બાગાયતી યોજનાઓના પ્રચાર-પ્રસાર અર્થે રાજ્યભરમાં બાગાયતી યોજનાઓની ખેડૂત શિબિર સાથે તા.૨૩-૧૨-૨ ના મોરબી જિલ્લાના ૨ તાલુકા દીઠ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો, ખેતીવાડી ખાતાના અધિકારીઓ, આત્માના કર્મચારીઓ અને મુખ્યત્વે બાગાયત ખાતાના અધિકારીઓ દ્રારા વિવિધ બાગાયતલક્ષી યોજનાઓની માહિતી આપવામાં આવી હતી.

ઉપરાંત બાગાયત ખાતાની નવી બાબત જેવી કે, મિશન મધમાખી, કોમ્પ્રીહેન્સીવ હોર્ટી કલ્ચર ડેવલપમેન્ટ યોજના તેમજ કમલમ ફળના નવા વાવેતર માટે ખેડૂતોને વિસ્તૃત માહિતી આપવામાં હતી તેમજ બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ ખેડૂતો વધુમાં વધુ કઇ રીતે લઈ શકે તે વિશે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા. આત્મા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિકો દ્વારા પ્રાકૃતિક ખેતી તેમજ પાક વ્યવસ્થાપન, રોગ નિયમન વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યકમમાં ખેડૂતોએ ઉત્સાહથી ભાગ લીધો હતો તેવું નાયબ બાગાયત નિયામકની કચેરી,મોરબીની અખબારી યાદીમાં જણાવાયું છે.





Latest News