મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો


SHARE











મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

મોરબીના બગથળા હાઈસ્કૂલના વર્ષ ૨૦૦૬ એસએસસી બેચના વિધ્યાર્થીઓ દ્વારા ગુરૂ વંદના તથા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો.પ્રાચિન કાળથી ભારતવર્ષમાં ગુરૂ શિષ્ય પરંપરા તેમજ તેમના સબંધો અનેરા ભાવપૂર્ણ અને દ્રષ્ટાંતરૂપ રહ્યા છે.ભારતીય સંસ્કૃતિમાં ગુરુ શિષ્યના અનેક પ્રેરક પ્રસંગો જોવા મળે છે જેમકે ગુરુ સાંદિપની ઋષિ અને તેમના શિષ્ય ભગવાનશ્રી કૃષ્ણ, ગુરુ દ્રોણ અને અર્જુન આવાં અનેક ઉદાહરણો જોવા મળે છે ત્યારે મોરબીની બગથળા હાઈસ્કૂલ (શ્રી હરિ નકલંક વિદ્યાલય, બગથળા) ના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા બગથળા ખાતે ગુરુ ભાવવંદના કાર્યક્રમ પટેલ સમાજ વાડી, બગથળા મુકામે યોજાયો હતો.કાર્યક્રમમાં શાળાના  એસએસસી બેચ-૨૦૦૬ ના વિધાર્થીઓ અને ગુરુજનો તથા શાળાના કર્મચારીઓ હાજર રહ્યા હતા.

આ તકે શાળાના ગુરુજનો તથા કર્મચારીઓ પૈકી બોપલીયા રમેશભાઈ વી., રાંકજા વેલજીભાઈ એન., ઠોરિયા સવજીભાઈ સી., શેરસિયા સુનિતાબેન  કે., વાધરિયા કલ્યાણજી ભાઈ કે., અઘારા નટુભાઈ ડી., ભાટિયા ગણેશભાઈ, કામરીયા અશોકભાઈ, ઝાલરીયા પ્રજ્ઞાબેન હાજર રહ્યા હતા.કાર્યક્રમની શરૂઆત ગુરુજનોના હસ્તે દીપ પ્રાગટય દ્વારા થઈ હતી.વિધાર્થીઓએ શબ્દો અને પુષ્પગુચ્છથી ગુરુજનો અને શાળાના કર્મચારીઓનું સ્વાગત કર્યુ હતું.બાળકોએ ગુરુજનોનું પૂજન કર્યું હતું.બાદમાં વિધાર્થીઓએ શાળા સમયની યાદો વર્ણવી હતી.ગુરુજનોએ પણ તે સમયની યાદો તાજી કરીને વિધાર્થીઓ ભવિષ્યમાં આગળ અને આગળ પ્રગતિ કરતા રહે એવા આશીર્વાદ આપ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના એસએસસી બેચ૨૦૦૬ ના વિધાર્થીઓ ઉમેશ ઠોરિયા (મો. ૯૭૧૪૨ ૩૩૩૫૫, પ્રોફેસર,દર્શન યુનિવર્સિટી-રાજકોટ), કાનજી સાદરિયા (મો. ૯૬૩૮૧ ૫૧૨૧૯) અને અન્ય વિધાર્થીઓએ જહેમત ઉઠાવી હતી.






Latest News