મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબીના ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો


SHARE













મોરબી : ઘુંટુ ગામે થયેલા ખૂનના ગુનામાં કારખાનેદાર અને સુપરવાઈઝરનો નિર્દોષ છૂટકારો

લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મરાતા તેનુ મોત થયુ હોવાનો આક્ષેપ હતો : પોલીસ છેક સુધી મૃતકની ઓળખ જ ન કરી શકી

મોરબીના ઘુંટુ રોડ પર આવેલી લ્યુસીડ માઈક્રોન સિરામીક કંપનીમાં ચોરી કરવા આવેલા શખ્સને પાવડાના હાથા અને વાયરથી બેફામ માર મારતા તેનુ મોત નીપજયુ હતુ. આવા આક્ષેપવાળી ફરીયાદ મોરબી તાલુકા પોલીસ મથકે નોંધાઈ હતી. બનાવની વિગત મુજબ કારખાનાનો ચોકીદાર મીથુનકુમાર સંતોષકુમાર ચૌધરી તા.21/12/2019ના રોજ કારખાને હતો.

ત્યારે એક વ્યકિતને વાયરના જથ્થા સાથે પકડી પાડયો હતો. બનાવની જાણ કરતા કારખાનાના માલિક રોહિતભાઈ અંબારામ થાડોદ, મેનેજર પરસોતમભાઈ ઉર્ફે મામા, લાલજીભાઈ ધાડીયા અને સુપરવાઈઝર નિલેશભાઈ કાનજીભાઈ થાડોદ કારખાને દોડી આવેલા અને બીજા દિવસે મજુરની એક ઓરડીમાં આ શખ્સને પાવડાના હાથા અને વાયર વડે બેફામ માર મારેલો. આ શખ્સ કંઈ બોલતો ન હોય અને તેને જવા દીધો હતો. જો કે બાદમાં કારખાના બહારથી તેનો મૃતદેહ મળ્યો હતો. પોલીસે આ કેસમાં કારખાનાના ચોકીદારને ફરીયાદી બનાવેલ અને આરોપી તરીકે રોહિતભાઈ પટેલ, નિલેશભાઈ પટેલ અને પરસોતમ ઉર્ફે મામાની ધરપકડ કરી.

ચાર્જશીટ ફાઈલ કરતા કોર્ટમાં કેસ ચાલેલો જયાં આરોપીના વકીલે દલીલ કરેલી કે કેસ સાક્ષી ફરીયાદીના નિવેદનથી પુરવાર થતો નથી. જે ધ્યાને લઈ કોર્ટે આરોપીઓને નિર્દોષ છોડી મૂકવા હુકમ કરેલો. આ કેસમાં આરોપીઓ વતી એડવોકે ભગીરથસિંહ ડોડીયા, જીતુભા જાડેજા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા, મીલન જોષી, જયપાલસિંહ સોલંકી, દીપ વ્યાસ, રવિરાજસિંહ પરમાર, સાગર પરમાર રોકાયા હતા.આશ્વર્યની વાત એ છે કે કેસમાં છેક સુધી પોલીસ મૃતકની ઓળખ કરી શકી ન હતી.






Latest News