તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા


SHARE











વાંકાનેરના સરતાનપર રોડે સીરામીક કારખાનામાં આગ લાગતા ત્રણ વ્યક્તિ દાઝ્યા : બે ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયા

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં જનરેટરના પેનલ બોર્ડમાં આગ લાગી હતી જેથી કરીને ત્રણ વ્યક્તિ દાજી ગયા હતા માટે તેને તાત્કાલિક સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે બે દર્દીઓને રાજકોટની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે અને હાલમાં આ બનાવની સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સન ગ્લેર સીરામીક નામના કારખાનામાં આગ લાગી હતી જેથી કરીને ગણપતસિંહ જીતુભા જાડેજા (ઉંમર ૫૦), જીતેન્દ્રસિંહ યુવરાજસિંહ જાડેજા (ઉંમર ૩૫) અને કમલકિશોરભાઈ રામગોપાલ રાવત (ઉંમર ૨૨) (રહે.ત્રણેય આલાપ રોડ તિરૂપતિ સોસાયટી, મોરબી) નામના ત્રણ વ્યક્તિઓ દાઝી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબી શહેરના શનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ ત્રણ પૈકીના ગણપતસિંહ અને જીતેન્દ્રસિંહને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે અને આ બનાવ સંદર્ભે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કારખાનાની અંદર જનરેટરના પેનલ બોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને આગ લાગવાના બનાવવામાં ત્રણેય વ્યક્તિઓ દાજી ગયા હોય તેઓને સારવારમાં ખસવામાં આવ્યા છે હાલમાં આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી અને ત્યાંથી સ્થાનિક પોલીસને જાણ કરવા માટેની કવાયત શરૂ કરવામાં આવી છે.

બાઇક સ્લીપ

મોરબીના પંચાસર ગામે રહેતા ચંપાબેન રમેશભાઈ વાઘેલા (૪૦) મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ માળિયા ફાટક પાસેથી બાઈકમાં પાછળના ભાગે બેસીને પસાર થતા હતા ત્યારે કોઈ કારણોસર તેઓ બાઈકમાંથી નીચે પડી ગયા હતા જેથી કરીને ચંપાબેનને ઇજાઓ થઈ હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

માળીયા મીયાણા તાલુકાના નાના દહીસરા ગામે રહેતા અંકિતાબેન રમેશભાઈ ભટાસણા (૩૩) ને મોરબીના પંચાસર રોડ ઉપર હતા ત્યારે અકસ્માતના બનાવવામાં ઈજા થઈ હતી જેથી અંકિતાબેનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News