મોરબી જિલ્લા પંચાયત, 5 તાલુકા પંચાયત અને 2 પાલિકાની 179 બેઠક માટે ભાજપમાં 580 દાવેદાર: કાલે મોરબી મહાપાલિકા-માળીયા (મી) પાલિકાની બેઠકો માટે સેન્સ લેવાશે મોરબી: રાપર-મણાબા વચ્ચે અકસ્માતમાં ઘવાયેલ યુવાનનું સારવાર દરમ્યાન મોત ટંકારાના મોટા રામપર ગામે નારીચાણીયા હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ ઉજવાઇ મોરબીમાં ફાયરના વાહનોમાં ઝડપથી પાણી ભરી શકાય તે માટે નવા 5 પોઈન્ટની વ્યવસ્થા ઊભી કરાઇ મોરબીમાં નકલી દૂધ-નકલી પનીરનું વેચાણ થતું હોવાનું ગ્રાહક સુરક્ષા મંડળે કરી કમિશનરને રજૂઆત મોરબીમાં બાબા સાહેબ આંબેડકરજી-મહાત્મા જ્યોતિબા ફૂલેજીની જન્મજયંતિ નિમિત્તે સંગીત સંધ્યાનું આયોજન મોરબી જીલ્લામાં 89 પોલીસ કર્મચારીઓની બદલી મોરબીના કેળવણી નિરીક્ષક શિક્ષણ વય નિવૃત થતા વિદાયમાન અપાયું
Breaking news
Morbi Today

મોરબીની અણીયારી ચોકડી પાસે આગળ જતા ટ્રેઇલર સાથે રીક્ષા અથડાતાં એકને ઈજા


SHARE











મોરબીની અણીયારી ચોકડી પાસે આગળ જતા ટ્રેઇલર સાથે રીક્ષા અથડાતાં એકને ઈજા

મોરબીના અણીયારી ટોલનાકા પાસે માળીયા હાઇવે ઉપર વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાતા હળવદના એક યુવાનને ઇજા થતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળિયા હાઇવે ઉપર અણીયારી ગામ પાસે આવેલ ટોલનાકા નજીક તા.૧૭ ના સાંજના સાડા સાતેક વાગ્યાના અરસામાં આગળ જતા ટ્રેઇલરની પાછળ ઓટો રીક્ષા અથડાવાનો બનાવ બન્યો હતો જે બનાવમાં હળવદના ખારીવાળી વિસ્તારમાં રહેતા બુટાભાઈ રણછોડભાઈ મુંધવા નામના ૩૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે અહીંની આયુષ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો તેને માથાના ભાગે તેમજ બંને પગના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હોય તેને અહીં સારવાર માટે લાવવામાં આવ્યો હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે. હાલ એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના લાલપર ગામે જીઇબીના સ્ટોર પાસે પગપાળા જઈ રહેલા યુવાનને ટ્રક ચાલકે હડફેટ લેતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ રાજકોટના મોરબી રોડ પર જકાતનાકા પાસે રહેતો મનુભાઈ આતાભાઈ ગળચર નામનો ૩૦ વર્ષનો યુવાન મોરબી તાલુકાના લાલપર ગામે જીઇબીના સ્ટોરના પાસેથી પગપાળા જતો હતો ત્યારે ટ્રક નંબર જીજે ૩૬ ટી ૯૫૭૮ ના ચાલેકે તેને હડફેટ લેતા ઇજાઓ પહોંચી હતી.જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો હાલ તાલુકા પોલીસ મથકના જીજ્ઞાશાબેન કણસાગરા દ્વારા આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News