તબીબી ચમત્કાર : આયુષ હોસ્પિટલના ડો.સત્યજીતસિંહ જાડેજા દ્રારા વેન્ટિલેટર ઉપરના 100 વર્ષના પડકારભર્યા દર્દીને નવું જીવન અપાયુ મોરબીમાં 25 લાખની લેતીદેતી મુદ્દે જિલ્લા પંચાયતના ભાજપના પૂર્વ સદસ્ય-રાષ્ટ્રભક્ત સામે ખૂનની કોશિશ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો મોરબીમાં રાજ્યમંત્રી કાંતિભાઈ અને સાંસદ વિનોદભાઈની હાજરીમાં 106 કરોડના વિકાસ કામોનું કરાયું ખાતમહૂર્ત વાંકાનેર નજીક ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટે લેતા માતાજીનાં મંદિરે દર્શન કરવા જતાં વૃદ્ધનું મોત: એક ને ઇજા મોરબીમાં રોડ સાઈડમાં ઉભેલા વૃદ્ધને રિવર્સમાં વાહન લેતા સમયે હડફેટે લેતા થાપા, કમર અને ગોળામાં ફેક્ચર મોરબીના જાંબુડીયા ગામે સગપણ તોડી નાખવાની વાતનો ખાર રાખીને હુમલો: 4 સામે ફરિયાદ વાંકાનેરના અગાભી પીપળીયા ગામે વાડીએ પાણીની કુંડીમાં ડૂબી જવાથી દોઢ વર્ષની બાળકીનું મોત હળવદના ધુળકોટ ગામે શક્તિ માતાજીના મંદિરમાંથી સોના-ચાંદીના 80 છતર, ચાંદીનો મુગટ અને સોનાની બે ટીલડીની ચોરી
Breaking news
Morbi Today

મોરબીના રફાળેશ્વર ગામે ઝગડાના સમાધાનમાં થયેલ સામસામી મારામારીમાં ચારની ધરપકડ : ત્રણની શોધખોળ


SHARE











મોરબીના રફાળેશ્વર ગામે ઝગડાના સમાધાનમાં થયેલ સામસામી મારામારીમાં ચારની ધરપકડ : ત્રણની શોધખોળ

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે અગાઉ થયેલ ઝઘડાના સમાધાન માટે બે પક્ષો ભેગા થયા હતા તે દરમિયાન પુન: મારામારીનો બનાવ બન્યો હતો જેમાં એટ્રોસિટી, ખૂનની કોશિશ સહિતની કલમો હેઠળ ફરિયાદ નોંધાવા પામી હતી અને સામા પક્ષેથી પણ ફરિયાદ કરવામાં આવી હતી જે બનાવમાં કુલ મળીને હાલમાં ચાર શખ્સોની ધરપકડ કરવામાં આવેલ છે જ્યારે ત્રણ ઈસમોને પકડવા માટે પોલીસ દ્વારા તજવીજ ચલાવવામાં આવી રહી છે.

મળતી માહિતી મુજબ મોરબીના રફાળેશ્વર ગામે અગાઉ થયેલા ઝઘડાનો રોષ રાખીને બોલાચાલી થઈ હતી અને બાદમાં તે ઝઘડાના સમાધાન માટે ભેગા થયા હતા ત્યારે મારામારીનો બનાવ બન્યો હતો અને તેમાં છરી વડે હુમલો કરવામાં આવ્યો હોય કલમ ૩૦૭ (ખૂનની કોશિશ) અને એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ભોગ બનેલ ગૌતમભાઇ દ્રારા ફરિયાદ નોંધાવવા પામી હતી જે બનાવમાં હાલમાં ડીવાયએસપી ગૌસ્વામી દ્વારા ભાવેશ ઉર્ફે કાલી ઉર્ફે રાધે કિશોરભાઇ સુમેસરા (૨૬), પ્રકાશ ઉર્ફે બાબો ભગવાનજી કણસાગરા જાતે કોળી (૨૪) અને ગજેન્દ્ર ઉર્ફે ગજીયો રમેશભાઇ બાંભણવા જાતે બારોટ (૨૨) રહે. ત્રણેય રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવેલ છે અને આ ફરિયાદની સામે ભાવેશ સુમેસરા દ્વારા વળતી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાં ગૌતમ મકવાણા કે જેને છરી લાગેલી હોય હાલ તે સારવાર હેઠળ રાજકોટ છે તેની સામે અને પ્રફુલ નામના ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી જે બનાવમાં ડીવાયએસપી ગોસ્વામી દ્વારા હાલમાં પ્રફુલ બચુભાઇ સોલંકી (૩૦) રહે. મચ્છુનગર રફાળેશ્વર તા.જી.મોરબીની ધરપકડ કરવામાં આવી હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળેલ છે.

દવા પી લેતા સારવારમાં

મોરબીના વાઘપરા શેરી નંબર-૧૦ માં 'ભરત નિવાસ' માં રહેતા રાજેશ તુલસીભાઈ ભોજવાણી નામના ૪૧ વર્ષના યુવાને શનાળા રોડ સરદાર બાગ પાસે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે આયુષ હોસ્પિટલે લઈ જવાયો હતો. જ્યારે મોરબીના જેલ ચોકની સામે રહેતા સવિતાબેન લાભુભાઈ મકવાણા નામના ૫૩ વર્ષીય મહિલાને નગરપાલિકાનું કામકાજ કરતા સમયે રોડ ઉપર કોઈ અજાણ્યા બાઈક ચાલકે હડફેટ લેતા ઇજા પામેલા સવિતાબેન મકવાણાને પણ સારવારમાં ખસેડાયા હતા.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના સામાકાંઠે આવેલા ઘુંટુ ગામે જનકપુરી વિસ્તારમાં રહેતા મેરૂભાઈ કનુભાઈ રાઠોડ નામના ૪૦ વર્ષના યુવાનને રંગપર ગામે જતા સમયે હળવદ રોડ ઉપર આવેલ રામકો સોસાયટી નજીક ટ્રક સાથે ટ્રક અથડાવવાના બનાવમાં ઇજાઓ થતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જેથી તાલુકા પોલીસ મથકના જે.એમ. જાડેજા દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે.






Latest News