મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો


SHARE











મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવા આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી જેથી કરીને મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારને મોરબી નગરપાલિકાનો ચાર્જ સોપવામાં આવ્યો છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે

મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ ઊભા થઈ રહ્યા છે તેવા સમયે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને હેડ કવાર્ટરમાં મૂકી દેવામાં આવેલ છે અને બીજો કોઈ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી તેને હેડ કવાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે તેવી જાણવા મળ્યું છે

ગત રવિવારે સાંજના સાડા છ વાગ્યાની અરસામાં મોરબીના ઝુલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક ધડાકા ભેર જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને પુલ ઉપર ફરવા માટે આવેલા લોકોમાંથી ઘણા લોકો મચ્છુ નદીના પટમાં અને મચ્છુ નદીની પાણીની અંદર પડ્યા હતા અને તેમાંથી કુલ મળીને ૧૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા કોઈ ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ નથી જો કે, મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને આપવામાં આવેલ છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News