મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો


SHARE







મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને સોપાયો

મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને શહેરી વિકાસ વિભાગ દ્વારા સસ્પેન્ડ કરવા આવેલ છે જેથી કરીને હાલમાં મોરબી પાલિકામાં ચીફ ઓફિસરની જગ્યા ખાલી હતી જેથી કરીને મોરબીના અધિક કલેક્ટર એન.કે. મુછારને મોરબી નગરપાલિકાનો ચાર્જ સોપવામાં આવ્યો છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે

મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી નથી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ ઊભા થઈ રહ્યા છે તેવા સમયે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેને હેડ કવાર્ટરમાં મૂકી દેવામાં આવેલ છે અને બીજો કોઈ આદેશ ન કરવામાં આવે ત્યાં સુધી તેને હેડ કવાર્ટર ન છોડવા માટે સૂચના આપવામાં આવી છે તેવી જાણવા મળ્યું છે

ગત રવિવારે સાંજના સાડા છ વાગ્યાની અરસામાં મોરબીના ઝુલતા પુલ ઉપર મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવારજનો સાથે હરવા ફરવા માટે ગયા હતા ત્યારે અચાનક ધડાકા ભેર જુલતો પુલ તૂટી પડ્યો હતો જેથી કરીને પુલ ઉપર ફરવા માટે આવેલા લોકોમાંથી ઘણા લોકો મચ્છુ નદીના પટમાં અને મચ્છુ નદીની પાણીની અંદર પડ્યા હતા અને તેમાંથી કુલ મળીને ૧૩૫ લોકોના અત્યાર સુધીમાં મોત નોંધાઈ ચૂક્યા છે ત્યારે રાજ્યના શહેરી વિકાસ વિભાગ તરફથી મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદિપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેની જગ્યાએ બીજા કોઈ ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ નથી જો કે, મોરબી પાલિકાનો ચાર્જ અધિક કલેક્ટર એન.કે. મુછારને આપવામાં આવેલ છે તેવું રાજકોટના રિજનલ કમિશ્નર ડો. ધીમંત વ્યાસ પાસેથી જાણવા મળ્યું છે






Latest News