મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો


SHARE











મોરબીના દરબાદ ગઢ ખાતે રાજકુંવરીબા મીરાબાપાની હાજરીમાં શાંતિ યજ્ઞ યોજાયો

મોરબીમાં ૩૦ ઓકટોબરનાં રોજ ઝુલતા પુલ તુટવાની દુધર્ટના બની અને જેમાં ૧૩૫ જેટલા નિર્દોષ અને માસૂમ લોકોએ જીવ ગુમાવ્યા છે. જેથી કરીને આ ઘટનાને રાજવી પરિવારે આઘાતજનક કહીને બુધવારે મૃતકના પરિવારજનોને એક એક લાખની સહાય આપવાની રાજવી પરિવાર તરફથી જાહેરાત કરવામાં આવી હતી અને ગુરુવારે મોરબીના દરબાર ગઢ ખાતે રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખવામા આવ્યો હતો ત્યારે શાસ્ત્રી વિપુલભાઈ શુક્લ સહિતના ભૂદેવો દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો ત્યારે ઝૂલતા પૂલ નિહાળવા આવેલા નાના બાળકો, સ્ત્રીઓ સહિતના જે લોકોના આ ઘટનામાં મૃત્યુ થયા હતા જેથી મોરબીનાં રાજમાતા વિજયકુંવરબા સાહેબ તથા રાજકુંવરીબા મીરાબાપા, માયાબાપા, ઉમાબાપા તથા સમગ્ર રાજવી પરિવાર આ ઘટનાને અત્યંત આઘાતજનક ઘટના ગણાવી છે અને રાજવી પરિવારે શાંતિ યજ્ઞ રાખ્યો હતો તેમાં મોરબી ક્ષત્રિય સમાજના આગેવાનો સહિતના મોરબીના લોકો હાજર રહ્યા હતા અને ઝુલતો પુલ પડવાથી મૃત્યુ પામેલા લોકોના આત્માની શાંતિ માટે ભગવાનને પ્રાર્થના કરી હતી






Latest News