અપમૃત્યુના ત્રણ બનાવ: ટંકારા તાલુકામાં જુદી જુદી બે જગ્યાએ ઝેરી દવા પી લેતા મહિલા અને આધેડનું મોત, વાંકાનેરના ભીમગુડા ગામે ઇલેક્ટ્રીક શોટ લાગતા યુવાનનું મોત મોરબીમાં જાહેરમાં જુગાર રમતા 7 શખ્સો 11,500 ની રોકડ સાથે ઝડપાયા મોરબીની સબજેલમાં રહેલા કેદી પાસેથી એક એન્ડ્રોઇડ મોબાઈલ અને સીમકાર્ડ મળી આવ્યુ !? સપ્લાયરો કમર તોડી નાખશે ?: મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટને 17 દિવસમાં 6400 નો વધારો ! મોરબીના આમરણ પાસે રોડ સાઈડમાં પલ્ટી મારી ગયેલ કન્ટેનરને હટાવવાનું કામ કરતાં સમયે થયો ટ્રાફિકજામ મોરબીમાં નવયુગ ગ્રુપ ઓફ કોલેજિસ ખાતે નવયુગ કા રાજા  ગણેશોત્વનું ભવ્ય આયોજન કરાયું મોરબીના જોધપર નદી-ટીંબડી ગામે પ્રાથમિક શાળામાં ૨૧ સપ્ટેમ્બરે સેવા સેતુ નો કાર્યક્રમ યોજાશે સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત મોરબીમાં શિક્ષણમાં પુનઃસ્થાપિત થયેલા બાળકોનું સન્માન કરીને અપાઈ શૈક્ષણિક કીટ
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા


SHARE





મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા

જુલતા પુલની દુર્ઘટના બન્યા પછી હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીમાંથી મળેલ નથી અને હજુ પણ રેસક્યું ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદી જુદી એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે તેવું મોરબી જિલ્લા કેળક્ટરે જણાવ્યું છે

ગત રવિવારના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા અનેક પરિવારોમાંથી ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ૧૩૫ લોકોના મૃત્યુ નોંધાય છે ત્યારે રાહત કમિશ્નર હર્ષદ પટેલ ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ પત્રકારોને કલેકટરે માહિતી આપી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું છે તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની જે ટીમોને રેસ્ક્યુની કામગીરી કરવા માટે મોકલવામાં આવી છે તે રવિવારે રાતથી જ કામે લાગી ગઈ છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીના પાણીમાંથી મળી આવેલ નથી જેથી કરીને આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની ટીમના અધિકારીની સાથે મિટિંગ કરીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેને ચાલુ રાખવામા આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે




Latest News