મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા


SHARE











મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા

જુલતા પુલની દુર્ઘટના બન્યા પછી હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીમાંથી મળેલ નથી અને હજુ પણ રેસક્યું ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદી જુદી એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે તેવું મોરબી જિલ્લા કેળક્ટરે જણાવ્યું છે

ગત રવિવારના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા અનેક પરિવારોમાંથી ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ૧૩૫ લોકોના મૃત્યુ નોંધાય છે ત્યારે રાહત કમિશ્નર હર્ષદ પટેલ ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ પત્રકારોને કલેકટરે માહિતી આપી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું છે તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની જે ટીમોને રેસ્ક્યુની કામગીરી કરવા માટે મોકલવામાં આવી છે તે રવિવારે રાતથી જ કામે લાગી ગઈ છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીના પાણીમાંથી મળી આવેલ નથી જેથી કરીને આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની ટીમના અધિકારીની સાથે મિટિંગ કરીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેને ચાલુ રાખવામા આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે






Latest News