મોરબી જિલ્લા કોંગ્રેસના વર્તમાન પ્રમુખ અને મોરબી જિલ્લા પંચાયતના માજી પ્રમુખ કિશોરભાઈ ચીખલિયાનું હાર્ટ એટેકનો તીવ્ર હુમલો આવતા નિધન મોરબી: ઘુનડા ગામે સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ યુવા સંગઠનનું સન્માન કરાયું મોરબીના ઘુંટુ ગામે પરેચા પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન મોરબીના ખાનપર ગામે આવેલ કુમાર શાળામાં ધો.૮ નાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો વાંકાનેર-ઠીકરીયાળા માર્ગ પર નવા માઇનર બ્રિજનું નિર્માણ શરૂ મોરબીમાં ડો. ભીમરાવ આંબેડકરની 135 મી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન મોરબીમાં વેલનાથ બાપુની પૂણ્યતીથી નીમીતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન વાંકાનેર 108ની ટીમ બની 'દેવદૂત': ટેકનોલોજી-ત્વરિત નિર્ણયશક્તિથી નવજાત શિશુને આપ્યું નવજીવન
Breaking news
Morbi Today

મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા


SHARE











મોરબીની મચ્છુ નદીમાંથી રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો હવે નિર્ણય લેવાશે: જી.ટી. પંડ્યા

જુલતા પુલની દુર્ઘટના બન્યા પછી હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની જુદી જુદી એજન્સીઓ દ્વારા રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીમાંથી મળેલ નથી અને હજુ પણ રેસક્યું ટીમ દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે જુદી જુદી એજન્સીના જવાબદાર અધિકારીઓ સાથે બેઠક કર્યા બાદ આ રેસ્ક્યુની કામગીરી ચાલુ રાખવી કે કેમ તેનો નિર્ણય લેવાશે તેવું મોરબી જિલ્લા કેળક્ટરે જણાવ્યું છે

ગત રવિવારના સાંજના સાડા છ વાગ્યાના અરસામાં મોરબીનો ઝુલતો પૂલ તૂટી પડ્યો હતો જેથી કરીને જુલતા પુલ ઉપર હરવા ફરવા માટે આવેલા અનેક પરિવારોમાંથી ઘણા બધા લોકોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા છે અને આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં કુલ મળીને ૧૩૫ લોકોના મૃત્યુ નોંધાય છે ત્યારે રાહત કમિશ્નર હર્ષદ પટેલ ઘટના સ્થળે આવ્યા હતા ત્યાર બાદ પત્રકારોને કલેકટરે માહિતી આપી હતી ત્યારે મોરબી જિલ્લાના કલેકટર જી.ટી. પંડયાએ માહિતી આપતા જણાવ્યું છે તેની સાથે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની જે ટીમોને રેસ્ક્યુની કામગીરી કરવા માટે મોકલવામાં આવી છે તે રવિવારે રાતથી જ કામે લાગી ગઈ છે અને સતત કામગીરી કરવામાં આવી રહી છે જોકે છેલ્લા બે દિવસમાં એક પણ ડેડ બોડી મચ્છુ નદીના પાણીમાંથી મળી આવેલ નથી જેથી કરીને આર્મી, નેવી, એનડીઆરએફ સહિતની ટીમના અધિકારીની સાથે મિટિંગ કરીને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે તેને ચાલુ રાખવામા આવશે કે નહીં તે નક્કી કરવામાં આવશે






Latest News