મોરબી નજીકથી જુદાજુદા વાહનોમાં કતલખાને લઈ જવાતા 32 ઘેટાં, બકરા અને પાડાને બચાવ્યા: બે ગુના નોંધાયા મોરબી નજીક કારખાનાના ક્વાર્ટરમાં શ્રમિક યુવાન અને અણિયારી ગામે વૃદ્ધે પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત ટંકારાના મોટા ખીજડીયા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત:  મોરબીના જીકિયારી ગામે ઉલ્ટી-ઊબકા બાદ 9 વર્ષના બાળકનું મોત ટંકારાના મીતાણા નજીક કારખાનામાં ગાડી ખાલી કરવા પહેલા સામસામે મારા મારી: હવે સામસામી ફરિયાદ મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક બંધ પડેલા કારખાનામાંથી 4.25 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના સંચાલક સાથે 60.63 લાખની છેતરપિંડી મોરબી મહાપાલિકાની નવી ઝોન ઓફિસના બાંધકામમાં કોન્ટ્રાક્ટર દ્વારા લોટ, પાણીને લાકડા: શહેર કોંગ્રેસના પ્રમુખનો આક્ષેપ મોરબી વાંકાનેર શહેરી વિકાસ સત્તામંડળની મુસદ્દારૂપ વિકાસ યોજનાના વાંધા સૂચનો મંગાવ્યા
Breaking news
Morbi Today

મોરબીના વોર્ડ નં-૧૨ ના મંજુર થયેલા કામો તાત્કાલિક પૂરા કરવા મંત્રી બ્રિજેશભાઈએ કરી તાકીદ


SHARE







મોરબીના વોર્ડ નં-૧૨ ના મંજુર થયેલા કામો તાત્કાલિક પૂરા કરવા મંત્રી બ્રિજેશભાઈએ કરી તાકીદ

ગુજરાતના મંત્રી બ્રિજેશભાઈ મેરજા ત્વરિત નિર્ણય, સત્વરે પ્રજાહિતના કામ કરવાની કુનેહ વધુ એકવાર જોવા મળી,વાત જાણે એમ છે કે મોરબીના વોર્ડ નંબરના કાઉન્સિલર નિમિષાબેન રાજેશભાઈ ભીમાણીની રજુઆત અન્વયે વોર્ડ નંબર-૧૨ ના કામો જેવાકે વિજયનગર-૩ થી આલાપ પાર્ક સુધીના રોડનું કામ મંજુર થયેલ હોય,કેનાલ રોડ પર ટ્રાફિક સમસ્યા રહેતી હોય વહેલી તકે કામ ચાલુ કરવું, પટેલનગર મેઈન રોડને સી.સી.રોડ બનાવવાની મંજૂરી મળેલ છે,આ રોડ ઘણો જ બિસ્માર હોય, રાહદારીઓને મુશ્કેલીઓ હોય સત્વરે કામ ચાલુ કરવું.પટેલનગર ખોડિયારનગર સોસાયટીમાં આશરે ૧૪૦૦ જેટલી વસ્તી ધરાવે છે, આ સોસાયટીમાં પીવાના પાણીના પ્રશ્નના નિરાકરણ માટે પાણીની લાઈન ફિટ કરવી વગેરે પ્રજાહિતના કામો સત્વરે કરાવવા માટે બ્રિજેશભાઈ મેરજાએ પ્રાદેશિક કમિશ્નરની નગરપાલિકાઓની કચેરી, રાજકોટ ઝોનને પત્ર દ્વારા કરેલ અને આ કચેરીએ આ બધાજ કામો તાત્કાલિક ધોરણે પૂર્ણ કરવા માટે નગરપાલિકાને તાકીદ કરવામાં આવેલ છે




Latest News