મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

નર્મદાનું પાણી દરિયામાં ન વહાવી દેતા સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરો : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન


SHARE











નર્મદાનું પાણી દરિયામાં ન વહાવી દેતા સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરો : ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશન

તાજેતરમાં ચોમાસાની સિઝન ચાલુ છે અને ભારે વરસાદ પડી રહ્યો છે અને મુંબઈમાં પડેલા ભારે વરસાદના લીધે નર્મદા ડેમ ભરાઈ ગયો હોય તેના દરવાજા ખોલી પાણી છોડીને તે પાણી વડે સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો ભરવામાં આવે તેવી માંગ અહીંના ઇન્ટરનેશનલ એસોસિયેશન દ્વારા કરવામાં આવેલ છે અને દરિયામાં વહી જતા પાણીને ભવિષ્યમાં લોક ઉપયોગી બનાવવામાં આવે તેવી રજૂઆત રાજ્યના મુખ્યમંત્રીને કરવામાં આવી હોવાનું સંસ્થાના કે.ડી.બાવરવા દ્વારા જણાવવામાં આવેલ છે.

હાલમાં ગુજરાતમાં તેમજ મધ્યપ્રદેશમાં અતિ વરસાદના કારણે નર્મદા ડેમમાં પાણીની ખુબ જ સારી આવક થઇ રહી છે.ડેમનું લેવલ ૧૨૯.૦૧ મીટર થઇ ગયું છે અને હજુ આવક ૨,૯૭,૦૦૦ કયુસેક જેવી છે.જેની સામે સીએચએમએસ મારફતે કેનાલમાં ૫૦૦૦ કયુસેક તેમજ આરબીપીએચ એટલે કે રીવર બેડ પાવર હાઉસ માટે ૪૪,૦૦૦ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. જે સીધું દરિયામાં જાય છે.ગુજરાતના ખેડૂતો દ્વારા ઉનાળુ પાક માટે આગોતરું વાવેતર કરવા માટે પાણીની માંગણી કરેલ જેની સામે સરકાર દ્વારા જયારે જરૂરિયાત હતી ત્યારે પાણી ન આપતા  છેક છેલ્લા દિવસોમાં કેનાલમાં પાણી છોડવામાં આવેલ અને ખેડૂતોએ વાવેતર ચાલુ કર્યું ત્યાં જ વરસાદ ચાલુ થયેલ હતો જેથી ખેડૂતોને જે મળવુ જોઈએ તે પાણીનો લાભ મળેલ નથી.જે તે સમયે સરકારનું ધ્યાન દોરેલ કે ડેમમાં પાણી છે અને ખેડૂતોને આપો નહિંતર આ પાણી ચોમાસામાં ડેમ ભરાતા દરિયામાં વહી જશે અને હવે તેની શરૂઆત થઇ ચુકી છે અને પાણી દરિયામાં જઈ રહ્યું છે..!

તેથી ઇન્ટરનેશનલ હ્યુમન રાઈસ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરીને માંગણી કરવામાં આવેલ છે સરકારે બનાવેલ સૌની યોજ્ના દ્વારા હાલમાં સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ખાલી ડેમો ભરી આપવામાં આવે હજુ ચોમાસું બાકી છે ડેમમાં ઘણું પાણી આવેલ છે.જે પાણી દરિયામાં જાય છે તેને બદલે ખાલી ડેમો ભરવામાં આવશે તો આ વિસ્તારના લોકોને પીવા તેમજ સિંચાઈના પાણીનો પ્રશ્ન ઉકેલાઈ જશે.






Latest News