હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં તે મને કારખાનામાંથી કઢાવ્યો કહીને યુવાનને માર માર્યો : બે શખ્સો સામે ફરિયાદ


SHARE











વાંકાનેરમાં તે મને કારખાનામાંથી કઢાવ્યો કહીને યુવાનને માર માર્યો : બે શખ્સો સામે ફરિયાદ

વાંકાનેરમાં હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપર પસાર થતાં યુવાનને રોકીને તે મને કારખાનામાંથી નોકરીએથી કઢાવેલ છે તેવું કહીને બે શખ્સોએ ધોકા વડે માર માર્યો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેરમાં ભાટીયા સોસાયટી રાજગોર સમાજની વાડી પાછળ રહેતા પ્રહલાદભાઇ નરભેરામભાઇ ચારોલા જાતે વાંણદ (૪૦)એ હાલમાં સંજયભાઇ નાજાભાઇ મુધવા રહે અમરનાથ સોસાયટી વાંકાનેર અને પીન્ટુભાઇ અજાભાઇ સરૈયા રહે. હસનપર વાંકાનેર વાળાની સામે માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, હેમ પેઇન્ટ કારખાનાથી થાન ચોકડી તરફ જતાં થાન રોડ ઉપરથી તે જતો હતો ત્યારે તેને ઊભો રાખીને સંજયભાઇ નાજાભાઇ મુધવાએ ફરિયાદીને કહેલ કે “તે જ મને હેમ પેઇન્ટ કારખાનામા નોકરીમાંથી કઢાવેલ છે” અને બાદમાં જેમ ફાવે તેમ ગાળો આપી હતી અને આરોપીઓએ લાકડાના ધોકા વડે બન્ને પગે તથા બન્ને હાથે માર મારીને ઇજા કરી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને યુવાનને સારવારમાં ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ યુવાને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે આઇ.પી.સી. કલમ ૩૨૩, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

ધાંગધ્રા નજીક આવેલ કોંઢ ગામના વતની રાજેશભાઈ માવજીભાઈ દલવાડી નામના ૩૬ વર્ષીય યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ થવાથી અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જ્યારે મોરબીના સામાકાંઠે નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે રહેતા પ્રવીણભાઈ ગોપાલભાઈ શિંગાળા નામનો ૪૯ વર્ષીય યુવાન લાલપર ગામ પાસેથી જતો હતો ત્યારે બાઈક હડફેટે ઇજા થતાં તેને પણ સારવારમાં ખસેડાયો હતો.તેમજ મોરબીના લાલપર પાસે બાઈક સ્લીપ થઈ જવાના બનેલ બનાવમાં મૂળ બિહારના વતની ગંગેશ્વર રાધેશ્યામ વર્મા નામના ૨૨ વર્ષના યુવાનને ઇજાઓ પહોંચતા તેને પણ સારવારમાં ખસેડાયો હતો.

મારામારીના બનાવમાં ધરપકડ

મોરબીના સબજેલ ચોક સામે આવેલ વાલ્મિકી વાસ વિસ્તારમાં ઘર પાસે કચરો તેમજ એંઠવાડ ફેંકવા માટે થઈને પાડોશીઓ વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો.જેમાં મોરબી નગરપાલિકાના કર્મચારીને માર મારવામાં આવ્યો હોય તેઓએ ફરિયાદ નોંધાવી હતી તે બનાવમાં તપાસ દરમિયાન જે.એ.ઝાલા દ્વારા હાલમાં ભાવેશ પ્રભુ વાઘેલા (૩૬) રહે.લાયન્સનગર નવલખી રોડ તેમજ મનિષ પ્રભુ વાઘેલા (૩૦) રહે.વાલ્મિકી વાસ જેલચોક સામે મોરબી વાળાઓની મારામારીના બનાવમાં ધરપકડ કરી હતી.






Latest News