મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

ગોકળગતિનો ઉત્તમ નમૂનો: મોરબી કલેક્ટર કચેરી સામે ન્યાય માટે વિકલાંગનું ઉપવાસ આંદોલન


SHARE











ગોકળગતિનો ઉત્તમ નમૂનો: મોરબી કલેક્ટર કચેરી સામે ન્યાય માટે વિકલાંગનું ઉપવાસ આંદોલન

મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ઉપવાસ આંદોલન કરનાર નાના ખીજડીયાના વરણ નરશીભાઈ ભીખાભાઈ વર્ષ ૨૦૦૮ માંગણી  કરી રહ્યાં છે અને તેને ટંકારા તાલુકા પંચાયત કચેરીએ પણ સાંથણી તથા સૌ.વા.ની માંગણી માટે ઉપવાસ આંદોલન કર્યું હતું ત્યારે ટંકારાના અધિકારીઓ દ્વારા સમજુતી કરાવી આંદોલન પૂરું કરાવ્યુ હતું ત્યાર બાદ ૨૦૧૮ એટલે કે, દસ વર્ષ સુધી કોઈ પણ જાતનુ નિરાકરણ નહી આવતા વર્ષ ૨૦૧૮ મા ફરી વખત વરણ નરશીભાઈ ભીખાભાઈ આંદોલન પર બેઠા હતા

ત્યારે પણ ટંકારા મામલતદાર, મોરબીના પ્રાંત અધિકારી દ્વારા જમીન સાંથણીમા મુકવાની પ્રક્રિયા બાબતે  કલેક્ટર દ્વારા સમજુતી કરાવી હતી અને ૧૦ દિવસમાં ડી.આઈ.એલ.આર. મોરબી દ્વારા તે જમીનની માપણી થઈ જવા ખાત્રી આપવામાં આવેલ હતી તેમજ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા  હકારાત્મક અભિપ્રાય રજુ થયેથી પ્રાંત અધિકારી દ્વારા ૩૦ દિવસમા જાહેરનામું બહાર પાડવામાં આવશે તેવી વહિવટી તંત્ર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી છતા ગુજરાત સરકારના પરિપત્ર ક્રમાક : વસપ - ૧૦૨૦૦૫ - ૬૫ - અ (પાર્ટ ફાઈલ) નુ અમલવારી કરવામાં આવેલ નથી વર્ષોથી એક વિકલાંગને આ સરકારના અધિકારીઓ દોડાવી રહ્યા છે આમા જવાબદાર તમામ વ્યક્તિઓ પર યોગ્ય કાર્યવાહી હાથ ધરી તેમના પર કાનુની કાર્યવાહી કરવામા  આવે તેમજ ઉપવાસ આંદોલન પર બેઠેલ વરણ નરશીભાઈ ભીખાભાઈની માંગણી માટે ઝડપી કામગીરી કરી  તેમની માંગ પૂર્ણ કરીને તેની માંગણીઓ અને લાંગણીને સંતોષી ન્યાય આપવામાં આવે તેવી માંગ કરેલ છે ત્યારે અશ્વિનકુમાર ટુંડીયા, સિરાજભાઈ સમા, આરીફભાઈ બ્લોચ, યુનુસભાઈ પલેજા, પ્રવિણભાઈ ચૌહાણ, છગનભાઈ ચૌહાણ, ફારૂકભાઈ જામ, મગનભાઈ વરણ, ભીમજીભાઇ ચૌહાણ, સકિલ પીરજાદા, રમેશભાઈ ચૌહાણ, જીવરાજભાઈ રાણા, પ્રવિણભાઈ ગોહિલ સહિતના હાજર રહ્યા હતા






Latest News